વેસ્ટર્ન સબર્બના રહેવાસીઓને મળતા દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા BMCએ લીધો આ નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022

 શનિવાર.

મુંબઈના પશ્ચિમ પરામાં કાયમથી ઓછું અને દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ રહી છે. આ સમસ્યા કાયમી સ્વરૂપે દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા નવી પાણીની પાઈપલાઈન બેસાડવાની છે. 

પાલિકા લગભગ ચાર કરોડ ૬૭ લાખ રૂપિયાના ખર્ચ  કરવાની છે. જેમાં પાણીની જૂની પાઈપલાઈન બદલી નાખવામાં આવશે, તેની સામે વધુ વ્યાસવાળી પાઈપલાઈન નાખવામાં આવશે.

પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ પશ્ચિમ પરાના બાંદ્રા, ખાર, અંધેરી, જોગેશ્ર્વરી, ગોરેગામ, મલાડ, કાંદીવલીના ૩૬ સ્થળોએ પાણીની પાઈપલાઈન બદલી નખાશે.

મુંબઈમાં કોરોના ધીમે ધીમે થઈ રહ્યો છે સ્થિર, આજે નવા દર્દીની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ થયો નજીવો ઘટાડો; જાણો આજના તાજા આંકડા 

જૂની પાઈપલાઈન કટાઈ ગઈ હોવાથી અનેક જગ્યાએ લીકેજ રહેતું હતું. તેથી પાણીમાં બહારનું ગંદુ પાણી મિક્સ થઈ જતું હતું અને લોકોના ઘર સુધી દૂષિત પાણી પહોંચતું હતું. તો પાઈપલાઈન ના ગળતરન કારણે લોકોને ઓછું પાણી મળતું હતું. જોકે પાઈપલાઈન બદલવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More