328
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
મુંબઈના વડાલા અને ચેંબુર વિસ્તારની ફૂટપાથના સુશોભીકરણ પાછળ BMC 41 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ અગાઉ વરલી અને પ્રભાદેવીમાં ફૂટપાથ અને ફ્લાયઓવર નીચે આવેલા ઉદ્યાનના સમારકામ પાછળ પાલિકા કરોડો રૂપિયા ખર્ચી ચૂકી છે.
મુંબઈમાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાની સેટેલાઇટથી નજર, આ છે નવો પ્લાન; જાણો વિગત…
હવે પાલિકા વડાલા રેલવે સ્ટેશનથી રુઈયા કૉલેજ, સેન્ટ જૉસેફ ચર્ચ સર્કલથી લૅડી જહાંગીર રોડ, ચેંબુર રેલવે સ્ટેશનની ડાયમંડ ગાર્ડન, મહર્ષિ દયાનંદ માર્ગ પર આવેલી ફૂટપાથનું સમારકામ અને તેનું સુશોભીકરણ કરવાની છે. સ્થાનિકોની ફરિયાદ મુજબ વર્ષોથી પાલિકાએ અહીં ફૂટપાથ પાછળ ધ્યાન આપ્યું નથી. 15 મહિનામાં આ કામ પૂરાં કરવામાં આવશે.
You Might Be Interested In