ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ચાર વર્ષ પહેલાં નવા બંધાયેલા અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર તિરાડો પડી ગઈ છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ VJTIની ટેક્નિકલ સલાહ લઈને રસ્તાનો અમુક હિસ્સો ફરી બાંધવાનો નિર્ણય લીધો છે. આ માટે VJTIને 10 લાખ રૂપિયાની ફી આપવામાં આવવાની છે.
ચાર વર્ષમાં જ રસ્તા પર તિરોડ પડી જવાને કારણે રસ્તાની ગુણવત્તા સામે સવાલ થઈ રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડનારો આ મહત્ત્વનો રસ્તો માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ હોવાની સાથે જ ઍરપૉર્ટને કનેક્ટેડ ગણાતા રસ્તા પર ભારે ટ્રાફિક રહેતો હોય છે. 2016માં મેટ્રોના કામને કારણે રસ્તાને ભારે નુકસાન થયું હતું. એથી રસ્તાને નવેસરથી બાંધવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત ચાર વર્ષમાં જ રસ્તા પર મોટા પ્રમાણમાં તિરોડો પડી ગઈ છે.
રસ્તાને સિમેન્ટ કોંક્રીટનો બનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર અનેક તિરોડો પડી ગઈ હોવાનું જણાઈ આવ્યું છે. VJTI રસ્તાનું ભૌગોલિક સર્વેક્ષણ કરવાની છે.