Site icon News Continuous Bureau | Mumbai

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય; ફક્ત ‘આ’ દસ્તાવેજોના આધારે નાગરિકતા સાબિત કરી શકાશે નહીં

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ જેવા દસ્તાવેજોથી નાગરિકતા સાબિત થતી નથી.

Bombay High Court બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય; ફક્ત ‘આ’ દસ્તાવેજોના આધારે નાગરિકતા સાબિત કરી શકાશે નહીં

Bombay High Court બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય; ફક્ત ‘આ’ દસ્તાવેજોના આધારે નાગરિકતા સાબિત કરી શકાશે નહીં

News Continuous Bureau | Mumbai

Bombay High Court: ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર હોવાથી કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક (Indian Citizen) બની જતી નથી, એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ અમિત બોરકરની (Justice Borkar) ખંડપીઠે મંગળવારે એક વ્યક્તિને જામીન (Bail) આપવાનો ઇનકાર કરતા આ સ્પષ્ટ ટિપ્પણી કરી. આ વ્યક્તિ પર નકલી દસ્તાવેજોની મદદથી ભારતમાં રહીને નાગરિકતાનો દાવો કરવાનો આરોપ હતો.

Join Our WhatsApp Channel

સંપૂર્ણ મામલો શું છે?

આ કેસ ઠાણેમાં ધરપકડ થયેલા બાબુ અબ્દુલ રઉફ સરદારનો (Babu Abdul Rauf Sardar) છે, જેના પર ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ (Travel Documents) વિના બાંગ્લાદેશથી (Bangladesh) ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાનો આરોપ હતો. તેણે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ જેવા નકલી સરકારી દસ્તાવેજો બનાવ્યા હતા. આ સાથે તેણે ગેરકાયદેસર રીતે ગેસ અને વીજળી કનેક્શન (Connection) પણ મેળવ્યા હતા. પોલીસે તેના ફોનમાંથી બાંગ્લાદેશમાં જારી થયેલા જન્મ પ્રમાણપત્રોની ડિજિટલ કોપી (Digital Copy) પણ જપ્ત કરી હતી.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે જણાવ્યું કે આ દસ્તાવેજો માત્ર ઓળખ માટે અથવા સેવાઓ મેળવવા માટે છે. પરંતુ ભારતીય નાગરિકતાની કાયદાકીય માન્યતાનો આધાર નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ છે – જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકતા ક્યારે અને કયા આધારે આપવામાં આવે છે. ન્યાયમૂર્તિ બોરકરે (Justice Borkar) કહ્યું કે જ્યારે દસ્તાવેજોની સત્યતા ચકાસણી હેઠળ હોય – જેમ કે UIDAI દ્વારા આધારની ચકાસણી, ત્યારે જામીન આપવા યોગ્ય નથી. કોર્ટે પોલીસના એ ડરને માન્ય રાખ્યો કે જો આરોપીને જામીન આપવામાં આવે તો તે ગેરકાયદેસર રીતે ભાગી શકે છે, પુરાવા નષ્ટ કરી શકે છે અથવા નવી ઓળખ બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : S Jaishankar: પોતાની તાકાત બતાવવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે; જાણો મુલાકાત પાછળનું સાચું કારણ…

ભારતીય નાગરિક કોણ હોઈ શકે?

બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવતા કહ્યું કે, આધાર, પાન અથવા મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજો નાગરિકતા સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. ખરા અર્થમાં નાગરિકતા મેળવવા માટે કાયદામાં જણાવેલ પદ્ધતિઓનું પાલન કરવું જરૂરી છે. ન્યાયમૂર્તિ બોરકરે (Justice Borkar) કહ્યું કે, “મારા મતે, આજે ભારતમાં રાષ્ટ્રીયતા અંગે નિર્ણય લેવા માટે નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ મુખ્ય અને નિયંત્રક કાયદો છે. આ કાયદો જ નક્કી કરે છે કે કોણ નાગરિક હોઈ શકે છે, નાગરિકતા કેવી રીતે મેળવી શકાય છે અને કઈ પરિસ્થિતિઓમાં તે ગુમાવી શકાય છે.”

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version