બોરીવલી ના ધારાસભ્ય સુનીલ રાણેએ ગુજરાતી લોકડાયરા કલાકારો શ્રી ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયા ને સન્માનિત કર્યા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર 2021

બુધવાર

ગુજરાતી કલાકારો માં અદકેરું સ્થાન ધરાવતા સ્વર કિન્નરી ગ્રુપ ના શ્રી ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયાએ બોરીવલી ધારાસભ્ય અને ભાજપ મુંબઈના મહામંત્રી  સુનીલ રાણેની મુલાકાત લીધી હતી. ઉત્તર મુંબઈ ભાજપ પ્રસિદ્ધિ પ્રમુખ નીલા બેન સોની રાઠોડએ આ મુલાકાત દરમિયાન સુનિલ રાણેને ગુજરાતી કલાકારોની કોરોના કાળ દરમિયાન આર્થિક વિડંબણાની  રજૂઆત કરી હતી. બોરીવલી એ ગુજરાતી મતદારોનો ગઢ છે. આવનારા દિવસોમાં આ કલાકારોને કંઇક રોજીરોટી ઉપલબ્ધ થાય તેવો આગ્રહ નીલાબેન સોની એ કર્યો હતો. ધારાસભ્ય સુનીલ રાણેએ ખૂબ ગંભીરતા પૂર્વક આ વિષયને સાંભળ્યો અને સમજ્યો હતો. સાથે એમણે પૂર્ણ બાહેધરી આપી હતી કે ચોક્કસ ગુજરાતી કલાકારો માટે નજીક ના ભવિષ્યમાં દરેક હાથ ને કામ મળી રહે તેવા આયોજનો ભાજપ વતી કરીશું.

માટુંગામાં ક્લીન-અપ માર્શલની દાદાગીરી હદપાર થઈ; લોકો પર પથ્થરનો ઘા કર્યો; જુઓ વીડિયો

આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું 'કર્મયોદ્ધાપુસ્તક અને શાલ ઓઢાડી લોક કલાકાર શ્રી ભાનુભાઈ વોરા અને બહેન તૃપ્તિ છાયા નું સ્વાગત કર્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More