News Continuous Bureau | Mumbai
Borivali: બોરીવલીના આંગણે સતત બીજા વર્ષે ઓર્ગન ડોનેશન, આઈ ડોનેશન એન્ડ કેયર ના સેમિનાર માધ્યમથી શ્રીમદ સમૂહ ભાગવત ( Bhagwat ) સપ્તાહ મહોત્સવ ૨૦૨૪ (વર્ષ-૨)નું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા ( Bhagwat Katha ) આગામી 10 જાન્યુઆરી 2024થી 17 જાન્યુઆરી 2024 સુધી યોજાશે. કથાના વક્તાપદે પરમ પૂજ્ય શ્રી. કિશોરચંદ્ર શાસ્ત્રીજી ( Kishore Chandra Shastriji ) (વડોદરાવાળા), મુખ્ય યજમાન શ્રી. મુકેશ અનંતરાય ગાંધી ( Mukesh Anantarai Gandhi ) અને સાંસદ મા. શ્રી. ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) ના સંયુક્ત હસ્તે દીપ પ્રજ્વલિત કરી કથાનો શુભારંભ થશે.
ભાગવત કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. આથી આ ભાગવત કથાનો ભાવિક ભક્તોને લાભ લેવા વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશન ( We Help Charitable Foundation ) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે નારાયણ ગાર્ડન ગ્રાઉન્ડ, યોગીનગર લિંક રોડ જંકશન, ઔરા હોટલની સામે, બોરીવલી (૫.) ખાતે આયોજિત શ્રીમદ સમૂહ ભાગવત સપ્તાહ મહોત્સવ ૨૦૨૪ માટે પોથી નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. તો તમે પણ નિમ્નલિખિત કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો.

Borivali Shrimad Bhagwat Katha Function in Borivali, Mumbai

Borivali Shrimad Bhagwat Katha Function in Borivali, Mumbai
પોથી – યજમાન – મનોરથ નોંધાવવા સંપર્ક –
9867695909 / 9702087663/9619177144 / 9867900516/9757490956
પોથી ન્યોછાવર ૧૬,૯૯૯/-
પ્રત્યેક યજમાનને દિવસના ૩ જમવાનાં પાસેસ અને પોથી સાથે બ્રાહ્મણ સેવા આપવામાં આવશે અને શ્રીમદ ભાગવત પોથી, નવા બાજોઠ, પાટલા, પૂજા પાઠ નો ડબ્બો સામગ્રી જોડે, ફોટો ફ્રેમ, યજ્ઞ ની સામગ્રી, આરતી ની થાળી, સંસ્થા દ્વારા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Winter Session : હુમલાની વર્ષગાંઠ પર સુરક્ષામાં ખામી.. લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, કેન્દ્ર સરકાર આવી હરકતમાં… બોલાવી સર્વપક્ષીય બેઠક..
મુખ્ય યજમાન :
શ્રી. મુકેશ અનંતરાઈ ગાંધી અને શ્રીમતી. ઉષા મુકેશ ગાંધી – હાલ ખાર રોડ, મુંબઈ (શ્રી. મણીલાલ અનંતરાઈ ગાંધી, મંજુલાબેન અનંતરાઈ ગાંધી, સંજય અનંતરાય ગાંધી ની સ્મૃતિમાં..)
કાર્યક્રમની રૂપરેખા
તા. ૧૦.૦૧.૨૦૨૪- વદ ચૌદસ (બુધવાર) – કથા પ્રારંભ – બપોરે ૨.૦૦ કલાકે
તા. ૧૧.૦૧.૨૦૨૪- વદ અમાસ (ગુરુવાર) – શ્રી ૮૪ બેઠકની ઝાંખી-માળા પહેરામણી (બપોરે ૨ વાગ્યા થી ૬ વાગ્યા સુધી ) શ્રી ૮૪ બેઠકની ઝાખી-વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ધુમિલકુમારજી મહોદય શ્રીમદ ભાગવત કથા મા પધરામણી કરશે અને મંગલ વચનામૃત નો લાભ આપશે અને એમની અધ્યક્ષતામાં માળાપહેરામણી કરવામાં આવશે (સમય સાંજે ૬ વાગ્યાથી)
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડી અને ટીમ સ્થળ પર પહોંચી.. જુઓ વિડીયો
તા. ૧૨.૦૧.૨૦૨૪- સુદ પડવો (શુક્રવાર) – શ્રી નૃસિંહ પ્રાગટ્ય – સાંજે ૬.૩૦ કલાકે
તા. ૧૩.૦૧.૨૦૨૪- સુદ બીજ (શનિવાર) – શ્રી વામન પ્રાગટ્ય – સાંજે ૪.૦૦ કલાકે, શ્રી રામ પ્રાગટ્ય – સાંજે ૫.૦૦ કલાકે, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય – સાંજે ૬.૦૦ કલાકે (નંદ મહોત્સવ)
તા. ૧૪.૧.૨૦૨૪-સુદ ત્રીજ (રવિવાર) – શ્રી ગોવર્ધન લીલા – સાંજે ૫.૦૦ કલાકે
તા. ૧૫.૧.૨૦૨૪-સુદ પાંચમ (સોમવાર) – શ્રી રૂક્ષ્મણિ વિવાહ – સાંજે ૬.૦૦ કલાકે
તા. ૧૬.૧.૨૦૨૪-સુદ છઠ (મંગળવાર) – શ્રી સુદામા ચરિત્ર – કથા વિરામ – સાંજે ૬.૦૦ કલાકે
તા. ૧૭.૧.૨૦૨૪-સુદ સાતમ (બુધવાર) – હવન સાંજે ૪.૦૦ કલાકે