રેલ્વે ની ટિકિટ વેચાય છે તે ટિકિટ કાઉન્ટર ના કર્મચારીઓને જ કોરોના નીકળ્યો. મુંબઈના બોરીવલી નો કિસ્સો. અનેક લોકો પર ખતરો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 માર્ચ 2021

બોરિવલી રેલ્વે સ્ટેશન પર આવેલી આરક્ષણ બારીના ૮ કર્મચારીઓને કોરોના થયો છે.આ વ્યક્તિઓમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે કે અન્ય ચારને કોરન્ટીન કરવામાં આવ્યા છે. 

મુંબઈ મહાનગરપાલિકાએ તમામ રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જેના ભાગરૂપે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કેસ પકડાયા હતા. આ કેસ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે એ તમામ લોકો જેમણે તેમની પાસેથી ટિકિટ ખરીદી હતી તેઓ પણ ખતરામાં આવી ગયા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More