News Continuous Bureau | Mumbai
Bombay High Court: હનીમૂન પર પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ ( Second Hand ) કહેવું પતિ માટે મોંઘું સાબિત થયું છે. હવે પતિએ પીડિત પત્નીને 3 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. પતિ તેની પીડિત પત્નીને દર મહિને 1.5 લાખ રૂપિયાનું ભરણપોષણ ભથ્થું પણ આપશે. બંનેએ જાન્યુઆરી 1994માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. બાદમાં બંને અમેરિકા ગયા હતા
આ મામલો પહેલા મુંબઈની નીચલી કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પીડિતા પત્નીએ ( Husband wife ) ફરિયાદ નોંધાવી હતી. નીચલી અદાલતે આરોપી પતિને વળતર ( Compensation ) અને ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ પતિએ બોમ્બે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન ( Review Petition ) દાખલ કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી. હવે આરોપી પતિએ કોર્ટની સૂચનાનું પાલન કરવું જ પડશે.
બંનેના લગ્ન 1994માં થયા હતા..
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંનેના લગ્ન 1994માં થયા હતા. બંને હનીમૂન માટે નેપાળ ગયા હતા. આ દરમિયાન તેના પતિએ તેને ‘સેકન્ડ હેન્ડ’ કહી હતી. કારણ કે મહિલાની પહેલી સગાઈ તૂટી ગઈ હતી. તેમજ પતિએ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા પણ કરી હતી. તો થોડા દિવસો પછી, આરોપી પતિએ પીડિતાને મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાનો આરોપ છે કે 2008માં તેના પતિએ તેને ઓશીકા વડે ગૂંગળાવીને મારી નાખવાની કોશિશ પણ કરી હતી, ત્યારબાદ તે તેની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. તથા 2014માં પતિ ફરી અમેરિકા જઈને રહેવા લાગ્યો હતો. જેમાં પત્નીએ દાવો કર્યો હતો કે તેના પતિના લગ્ન ઉપરાંત અન્ય મહિલા સાથે સંબંધો છે.
આ સમાચાર પણ વાંચો : Afghanistan: તાલિબાનનો નવો આદેશ, મહિલા તેના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે તો તેને પથ્થર મારીને મૃત્યુદંડ અપાશે..
આ બધાથી નિરાશ થઈને પીડિતાએ 2017માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને તેની માતા, ભાઈ અને કાકાએ કોર્ટમાં સમર્થન આપ્યું હતું. કોર્ટે સ્વીકાર્યું કે પીડિતા ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. જાન્યુઆરી 2023માં, કોર્ટે આરોપી પતિને વળતર તરીકે રૂ. 3 કરોડ ચૂકવવા, દાદરમાં ઘર શોધવા, વૈકલ્પિક રીતે ઘર માટે રૂ. 75 હજાર અને દર મહિને રૂ. 1.5 લાખનું જાળવણી ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો.
ટ્રાયલ કોર્ટના આ આદેશ સામે આરોપી પતિએ હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જો કે, હવે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જેમાં તેણે પીડિતની પત્નીને રૂ. 3 કરોડનું વળતર અને રૂ. 1.5 લાખનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખે આદેશમાં કહ્યું હતું કે આ રકમ મહિલાને માત્ર શારીરિક ઈજાઓ માટે જ નહીં પરંતુ માનસિક ત્રાસ અને ભાવનાત્મક તકલીફ માટે પણ વળતર તરીકે આપવામાં આવી છે.
Join Our WhatsApp Community
