મુંબઈ રિજનલ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અશોક ઉર્ફે 'ભાઈ' જગતાપ સહિત 50 કામદારો સામે કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ મામલે આઇપીસી તથા મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની કલમ 188 અને 269 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જોકે આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે અશોક જગતાપ તથા અન્ય કાર્યકરો સાથે મળીને ઇંધણના વધતા ભાવ સામે ગોરેગાંવમાં વિરોધ કરી રહ્યા હતા. એમાંના કેટલાક કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન દરમિયાન માસ્ક પહેર્યા નહોતા.
