FIR નહીં નોંધનારા પોલીસ કર્મચારીનું હવે આવી બનશેઃ મુંબઈ પોલીસ કમિશનરે આપી આ ચેતવણી.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ લઈ જનારાએ ધમકાવીને ભગાવી દેવાના અનેક કેસ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેની નોંધ લઈને મુંબઈ પોલીસ કમિશનર(Police commissioner) સંજય પાંડેએ(Sanjay pandey) આવી પીડિત વ્યક્તિઓની ફરિયાદ નહીં સાંભળનારાના પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી છે.

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ન્યાય માગનારા સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનની ભગાવી દેવામાં આવતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને આવી અનેક ફરિયાદ(complaint) આવી હતી. તેની નોંધ લઈને કમિશનરને આવા પોલીસ કર્મચારીઓ(Police employee) માટે આદેશ બહાર પાડ્યો છે. તે મુજબ પીડિત વ્યક્તિની એફઆઈઆર(FIR) નોંધવાનું ટાળનારા પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

મુંબઈ પોલીસ કમિશનર પદે નીમાયા બાદ સંજય પાંડેએ સામાન્ય નાગરિકો માટે અનેક વખાણવાલાયક કામ કરી રહ્યા છે, જેમાં તેમણે સામાન્ય નાગરિકને કોઈ પણ ફરિયાદ હોય તેમને સાંભળવામાં આવતા ન હોય તેવા લોકો માટે મદદ કરવાનું વચન આપ્યું હતું અને સોશિયલ મીડિયા(Social media) પર ખાસ પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો હતો.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More