Site icon News Continuous Bureau | Mumbai

કિંગ ખાનના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ, ઘરની તલાશી પણ લીધી

CBI registers corruption case against Sameer Wankhede, the Aryan Khan case officer

કિંગ ખાનના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ, ઘરની તલાશી પણ લીધી

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં ચર્ચામાં આવેલા અધિકારી સમીર વાનખેડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. CBIએ IRS ઓફિસર સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ સંબંધમાં, મુંબઈમાં તેમના પરિસરની તપાસ કરવામાં આવી હતી. વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડના કારણે ચર્ચામાં આવી હતી. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય બે આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 જગ્યાએ આરોપીની શોધ ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

જણાવી દઈએ કે જ્યારે NCBમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરી હતી. તે સમયે તેઓ એનસીબીના વડા હતા. બાદમાં આર્યનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અને ડ્રગ્સનો કેસ બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  બોરીવલીના ગોરાઈ રોડને આખરે મોકળાશ મળી, તમામ ઝુપડા તોડી પડાયા. જુઓ વિડિયો

આર્યન ખાન કેસ બાદ એનસીબીએ સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને પણ સોંપવામાં આવ્યો હતો. જેમાં વાનખેડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

NCBની વિજિલન્સની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવી હતી અને તે ભ્રષ્ટાચાર દ્વારા જમા કરવામાં આવી હોવાની આશંકા છે.

Terror in Kandivali। કાંદિવલીમાં ભયનો માહોલ હાથમાં ચપ્પુ લઈને નીકળેલા શખ્સે દુકાનોમાં તોડફોડ કરી, પથ્થરમારો કરતા બે ઘાયલ
Titwala Drugs Case। ટીટવાલા ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા ઉત્તર પ્રદેશથી પાંચમો આરોપી ઝડપાયો
Mumbai Central Railway Fine Record| મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા; એપ્રિલના અંતિમ દિવસે 68.54 લાખની વસૂલાત
Mumbai Metro Door Safety Issue। મુંબઈ મેટ્રોમાં ભયાનક બેદરકારી હાઈસ્પીડ ટ્રેનના દરવાજા ખુલ્લા રહી જતા મુસાફરોના જીવ જોખમમાં
Exit mobile version