Site icon News Continuous Bureau | Mumbai

ક્યાં છુમંતર થઈ ગયા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર? CIDએ કર્યો આ ખુલાસો ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.

રિશ્વતના કેસમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભારે શોધ કર્યા બાદ હાથ ન લાગતા હોવાની રજૂઆત CIDએ પોતાના રિપોર્ટમાં કરી છે. બુધવારે CIDએ આ રિપોર્ટ જસ્ટિસ ચંડીવાલ કમિશનને સોપ્યો હતો.  આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરના મોકુફ રહી છે.

ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસને 100 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો હોવાનો કથિત આરોપ કરતો પત્ર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો. મુખ્ય પ્રધાનને લખવામાં આવેલા પત્રની તપાસ જસ્ટિસ ચંડીવાલ કરી રહ્યા છે.

લખીમપુર ખીરી કેસ: સુપ્રીમ કોર્ટનો સવાલ- લખીમપુર મામલે કેટલી ધરપકડ થઈ? યુપી સરકાર આ તારીખે આપશે જવાબ
 

CIDના કહેવા મુજબ તેઓ લાંબા સમયથી પરમબીર સિંહને શોધી રહ્યા છે. પરંતુ તેમનું લોકેશન મળતું નથી. તેઓ જે ડોકટર પાસે સારવાર લે છે, તેની પાસે પણ CID જઈને આવી છે. છતાં તેમનો કોઈ પત્તો લાગતો નથી. તેથી તેમને બેલેબેલ વોરેન્ટ મોકલી શકાતો નથી. એવું પણ CIDએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version