Site icon News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?

CM ફડણવીસે કહ્યું- 'દિલ્હી હજુ દૂર છે', વિપક્ષે શિંદે અને અજિત પવારને 'સપનું તોડનારો' સંદેશ ગણાવ્યો; સીએમ પદને લઈને મહાયુતિમાં ગરમાવો.

Devendra Fadnavis ફડણવીસના 'એક નિવેદન'થી ખળભળાટ મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે

Devendra Fadnavis ફડણવીસના 'એક નિવેદન'થી ખળભળાટ મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન આજકાલ રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાએ કહ્યું હતું – ‘દિલ્હી હજુ દૂર છે.’ તેમના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે ફડણવીસે એક નિવેદનથી બે નિશાન સાધ્યા છે. પહેલો સંદેશ મહાયુતિના ઘટક દળોના નેતાઓને આપવા માગે છે કે આગામી ચૂંટણીઓ સુધી તેઓ જ મુખ્યમંત્રી રહેશે. બીજો સંદેશ રાજ્યની ભાજપ યુનિટને છે કે તેઓ હાલમાં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં અને રાજ્યમાં જ કામ કરતા રહેશે.

Join Our WhatsApp Channel

વિપક્ષે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા

ફડણવીસના આ નિવેદન પર રાજ્યના વિપક્ષના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા એ કહ્યું, “આ તે લોકો માટે એક અપ્રત્યક્ષ સંદેશ છે જેઓ મુખ્યમંત્રી પદ પર નજર રાખી રહ્યા છે.” તેમને કહ્યું કે સીએમ સીધા એકનાથ શિંદે (ઉપમુખ્યમંત્રી) સાથે વાત કરી શકતા નથી, તેથી તેઓ આ વાત આડકતરી રીતે કહી રહ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના પ્રવક્તા એ પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ફડણવીસનું નિવેદન મુખ્યમંત્રી પદના દાવેદારો એકનાથ શિંદે અને અજિત પવાર માટે તેમનું સપનું ચકનાચૂર કરનારો સંદેશ છે.

આ સમાચાર પણ વાંચો : UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?

શિંદે અને અજિતના સમર્થકોનો દાવો શું છે?

થોડા સમયથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફડણવીસ કેન્દ્રીય રાજકારણમાં જઈ શકે છે. આવી સ્થિતિમાં શિંદે અને પવાર બંનેના મનમાં મુખ્યમંત્રી પદને લઈને આકાંક્ષાઓ જાગી રહી છે. મુખ્યમંત્રીના આ નિવેદન પર જ્યાં વિપક્ષી દળો પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, ત્યાં શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત જૂથ) ના નેતાઓને આશા છે કે એક દિવસ પરિસ્થિતિઓ બદલાશે.
શિંદે જૂથના નેતાનો દાવો: મીડિયા રિપોર્ટ મુજબ શિંદે સેનાના એક નેતાએ કહ્યું કે રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. બધું અનિશ્ચિત છે અને એક દિવસ શિંદે સીએમ ચોક્કસ બનશે.
અજિત પવાર જૂથના નેતાનો દાવો: અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના નેતાઓએ કહ્યું કે ડેપ્યુટી સીએમ ઊર્જાવાન નેતા છે. તેઓ રાજકારણમાં સંખ્યાબળનું મહત્વ સમજે છે. જે પક્ષ પાસે બહુમતી છે, તે પોતાના સહયોગી પક્ષને સીએમ પદ કેવી રીતે આપી શકે?
નોંધનીય છે કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નો સમાવેશ થાય છે.

Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Navi Mumbai Cable Theft Scam 200 Crore। નવી મુંબઈમાં ૨૦૦ કરોડનું કેબલ ચોરી કૌભાંડ બેનકાબ તુર્ભેના જંગલમાં મધ્યરાત્રિએ પોલીસના દરોડા, ૩૫ની ધરપકડ
Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ
Exit mobile version