Site icon News Continuous Bureau | Mumbai

Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ

Borivali Book Fair Devi Eternity| દાયકાઓ બાદ સાહિત્યિક સાયુજ્ય કવિ સંદીપ ભાટિયા નિબંધો વિશે કરશે વાત, નીલા સંઘવી અને સ્મિતા શુક્લ દ્વારા ઉત્તમ નિબંધોનું વાચિકમ, પુસ્તક પ્રેમીઓ માટે સુવર્ણ તક.

Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે "નિબંધના ભાવવિશ્વમાં" કાર્યક્રમ

Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે "નિબંધના ભાવવિશ્વમાં" કાર્યક્રમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Borivali Book Fair Devi Eternity| મુંબઈના સાહિત્ય જગતમાં દાયકાઓ બાદ એક એવો નજારો જોવા મળી રહ્યો છે જ્યાં પુસ્તકમેળો અને સાહિત્યિક ગોષ્ઠિ એકસાથે યોજાયા હોય. જાણીતા પ્રકાશક એન.એમ. ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે બોરીવલીમાં એક ભવ્ય પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના ભાગરૂપે બુધવાર, 6 મેની સાંજે સાહિત્યના ભાવકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

નિબંધોના રસાસ્વાદ સાથે સાહિત્યિક સાંજ

6 મે, બુધવારની સાંજે 7:30 વાગ્યે કવિ અને નિબંધકાર સંદીપ ભાટિયા “નિબંધના ભાવવિશ્વમાં” વિષય પર રસપ્રદ વાતો કરશે. આ કાર્યક્રમમાં જાણીતા લેખિકા નીલા સંઘવી અને સ્મિતા શુક્લ છેલ્લા કેટલાક દાયકાના શ્રેષ્ઠ ગુજરાતી નિબંધોના અંશોનું વાચિકમ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરી રહ્યા છે.

પુસ્તક મેળામાં વાચકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

બોરીવલી પશ્ચિમના સાઈબાબા નગર સ્થિત ‘દૈવી ઈટરનિટી’ ની વિશાળ એરકન્ડિશન્ડ લોબીમાં પુસ્તકોની સુંદર ગોઠવણી કરવામાં આવી છે. અહીં વિવિધ પ્રકાશકોના વાર્તાસંગ્રહ, નવલકથા, બાળ સાહિત્ય, કવિતા અને અન્ય વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે. વાચકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને પોતાના મનપસંદ પુસ્તકોની ખરીદી કરી રહ્યા છે. આયોજક ટ્રસ્ટ વતી દર્શના વોરા સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

ક્યાં અને ક્યારે પહોંચવું?

સાહિત્ય અને પુસ્તકોમાં રસ ધરાવતા આબાલ-વૃદ્ધ સહુ કોઈને આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6ઠ્ઠી મેની સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આયોજનનું સ્થળ છે: દૈવી ઈટરનિટી, એમ.કે.એમ. ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ. સાહિત્યના ભાવકોને સમયસર પહોંચી જવા અને પુસ્તક સંસ્કૃતિનો લ્હાવો લેવા અનુરોધ કરાયો છે.

👉 આ સમાચાર વાચો:
Stock Market Today| બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ધબાય નમઃ! કયા શેરોમાં ગાબડું પડ્યું અને ક્યાં છે ખરીદીની તક? જુઓ વિગતવાર અહેવાલ

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version