Site icon News Continuous Bureau | Mumbai

શું ઉદ્ધવ ઠાકરેની તોડક કાર્યવાહી ની ચીમકી પાછળ કોઈ રાજકારણ છે? મુંબઈ મહાનગર પાલિકાને કોઈ આદેશ મળ્યા નથી તેમજ આશરે ૫૦ ટકા જમીન પર કાર્યવાહી નહીં થાય. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જોકે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે હજુ સુધી તમામ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી નથી અને આ સંદર્ભે સૂચનાઓ આપી ન હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કૉર્પોરેશનની વિભાગીય કચેરી દ્વારા નગરપાલિકાની હદમાં અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જોકે વાસ્તવમાં કલેક્ટર, મ્હાડા, રેલવે, વન વિભાગ સહિત અન્ય સરકારી અને ખાનગી માલિકીની જમીન છે. મહાનગરપાલિકાને અહીં કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી. એથી પાલિકા મુંબઈમાં 40થી 45% અતિક્રમણ પર કાર્યવાહી કરી શકતી નથી. જિલ્લા કલેક્ટર કચેરીને કોઈ આદેશ આપ્યા વિના મુખ્ય પ્રધાન 55થી 60 ટકા ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકા પાસેથી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે કે? એવો સવાલ ઊઠ્યો છે.

મુંબઈમાં જિલ્લા કલેક્ટર, વન વિભાગ, મ્હાડા, MMRDA અને અન્ય ખાનગી જમીનો પર મોટા પાયે અતિક્રમણ થઈ રહ્યું છે. મલાડ માલવણીમાં, થોડા મહિનાઓ પહેલાં એક મોટી દુર્ઘટના બની હતી જે એક ઇમારતનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે જમીન કલેક્ટર કચેરીના અધિકારક્ષેત્ર હેઠળ છે અને ત્યાંનાં બાંધકામો પર કાર્યવાહી કરવાની તમામ સત્તા નાયબ કલેક્ટર (અતિક્રમણ) પાસે છે. છતાં સરકારી અને ખાનગી જમીનો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સરકારી તંત્રને આદેશ આપ્યા વગર આ આદેશ પાલિકાને અપાયો હોવાથી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મુખ્ય પ્રધાન પાલિકાની હદ સિવાય અન્ય વિસ્તારોમાં અતિક્રમણ પર કાર્યવાહી કરવા માગતા નથી?

 મુખ્ય પ્રધાન અધિકારીઓને સંરક્ષણ આપે ત્યારે કાર્યવાહીમાં કોઈ રાજકીય દખલગીરીના કિસ્સામાં તેમની સામે આરોપો દાખલ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન આપે તો કાર્યવાહી સરળ બનશે. એવું કેટલાક નિવૃત્ત કહેવું છે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version