Site icon

હવે મુંબઈ અને થાણેમાં રૅશનકાર્ડ અને વિતરણ સંબંધિત ફરિયાદ થઈ શકશે; જાણો કઈ રીતે નોંધાવી શકો છો ફરિયાદ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

સરકારે હવે રૅશનકાર્ડ અને અનાજ વિતરણ સંબંધિત ફરિયાદોને ગંભીરતાથી લઈ આ અંગે ફરિયાદો માટે હેલ્પલાઇનની વ્યવસ્થા કરી છે. આ મામલે મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણામાં અમુક ફરિયાદો મળતાં આ પગલું લેવાયું છે. મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણા ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૧ના સમય દરમિયાન સાર્વજનિક ફરિયાદ નિવારણ અંગે કુલ ૨૭૭ ફરિયાદ મળી હતી.

જોકેઆમાંની ૨૩૫ ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું છે. સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાના હેતુસર સરકારે અલગથી www.mahafood.gov.in અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા ફરિયાદ નિવારણ માટે ટૉલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૨-૪૯૫૦/૧૯૬૭ ઉપરાંત helpline.mhpds@gov.in ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.

મહત્વના સમાચાર : જો આ કામ નહીં કરો તો શક્ય છે કે તમારું નામ મુંબઈ મહાનગરપાલિકાની ચુંટણી માટે ની મતદાર સૂચિમાંથી ગાયબ થઈ જાય

ઉલ્લેખનીય છે કે દરેક પરપ્રાંતીય મજૂર લાભાર્થીઓને વન નૅશન, વન રૅશનકાર્ડ યોજના અંતર્ગત કાર્ડ સ્થળાંતર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. આ અંગેની ફરિયાદ માટે હેલ્પલાઇન ક્રમાંક ૧૪૪૪૫ જાહેર કરાયો છે. મુંબઈ-થાણેની ફરિયાદ અથવા જાણકારી માટે ૦૨૨-૨૨૮૫૨૮૪૧ અને ઈ-મેઇલ dycor.ho-mum@gov.in ઉપલબ્ધ કરાવ્યા છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version