Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનાં બગીચા અને મેદાનોને લઈને નગરસેવકો થયા રઘવાયા; જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈનાં બગીચા તથા મેદાનોની જાળવણી માટે રાખવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરોની મુદત ચાર મહિના પહેલાં જ પૂરી થઈ છે. છતાં હજી સુધી કોઈ નવા કૉન્ટ્રૅક્ટર નિમાયા નથી. મુંબઈ મહાનગરપાલિકાએ એ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કૉન્ટ્રૅક્ટરોએ અંદાજે 40 ટકા ઓછા દરે ટેન્ડર ભર્યાં છે. એથી પાલિકા પ્રશાસન ફરીથી ટેન્ડર બહાર પાડવાનો વિચાર કરી રહી છે. જોકે નગરસેવકોને મેદાન અને બગીચા કરતાં તેમની પોતાની ચિંતા વધારે થઈ રહી છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે બગીચા તથા મેદાનોની જાળવણી અને તેના સંભાળ રાખવાના કામમાં પ્રશાસન તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે. એથી નગરસેવકોએ નાગરિકોના રોષના ભોગ બનવું પડી રહ્યું છે. ચૂંટણીના સમયમાં પોતાની વોટબૅન્કની નારાજગી નગરસેવકોને ડરાવી રહી છે. એથી રઘવાયા બનેલા નગરસેવકો બગીચા-મેદાનની સંભાળ માટે તાત્કાલિક ધોરણે કૉન્ટ્રૅક્ટર નીમવાની માગણી પ્રશાસનને કરી રહ્યા છે.

શાબ્બાશ! માત્ર ચાર મહિનામાં જ મુંબઈ મહાનગરપાલિકાએ વસૂલ્યો આટલા કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ; જાણો વિગત

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version