મુંબઈમાં પક્ષીઓને બાલ્કનીમાં ચણ નાખવા પર પ્રતિબંધ, કોર્ટનો આદેશ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

મંગળવાર

અનેક જીવ દયા પ્રેમી લોકો પોતાની બારીમાં પક્ષીને ચણ નાખે છે. જોકે એવા અનેક લોકો છે જેમને આ વસ્તુ પસંદ નથી. આ ઉપરાંત અનેક લોકોને પક્ષી થી ફેલાતા બેક્ટેરિયા ની એલર્જી છે. આ એલર્જીને કારણે અનેક નવવિવાહિત મહિલાઓના મિસકેરેજ થયા છે. તેમજ અનેક લોકોને ફેફસાની બીમારી થાય છે.

બીજી તરફ પક્ષીને ચણ નાખવું એ જીવ દયા નું કામ છે. આ પ્રકારની પ્રવૃત્તિ થી પર્યાવરણ અને મનુષ્ય વચ્ચે સંતુલન રહે છે.

જો કે આ સંદર્ભે હવે બોમ્બે સિવિલ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મામલાની વિગત એવી છે કે બે પાડોશીઓ વચ્ચે વર્ષ ૨૦૦૯માં પક્ષી ને ચણ નાખવા બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે સોસાયટી એ પણ વાટાઘાટોથી મામલો હલ નહી થતા કોમન પ્લોટ પર પક્ષી ને ચણ નાખવાની પેશકશ કરી હતી. પરંતુ આ સંદર્ભે જીવ દયા નું કામ કરી રહેલા પરિવારવાળા સહમત થયા નહોતા.

હવે આ કેસની સુનાવણી પતી ગઈ છે. પોતાના ચુકાદામાં એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પક્ષી ને દાણા ખવડાવવા એ એક ધાર્મિક કામ છે પરંતુ જો કોઈ વ્યક્તિને આનાથી ત્રાસ થતો હોય તો આવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.

કોરોનાના ગંભીર સંકટ વચ્ચે મુંબઈગરા માટે રાહતના સમાચાર; પાલિકાના સર્વેમાં ૫૦% બાળકોમાં ઍન્ટીબૉડીઝ મળી, જાણો વિગત

સેશન્સ કોર્ટનો આ ચુકાદો સીમાચિન્હ રૂપે છે. આ ચુકાદાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આજ પછી બાલ્કનીમાં ચણ નહી નાખી શકાય. જોકે આ તબક્કે એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જ્યાં આ સંદર્ભે આક્ષેપ નથી લેવામાં આવતો ત્યાં સુધી આવા જીવ દયા ના કામ ચાલતા રહેશે. પરંતુ આક્ષેપ લીધા બાદ આ પ્રવૃત્તિ આગળ નહીં વધી શકે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More