News Continuous Bureau | Mumbai
મુંબઈની એક અદાલતે શરદ પવારના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શનના સંબંધમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 11 એપ્રિલ સુધી 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
સાથે અન્ય 109 આરોપીઓને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસે વકીલ ગુણરત્ન સદાવર્તેની પૂછપરછ માટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી.
સરકાર સાથે વિલીનીકરણની માંગણી સાથે, હડતાળ પર રહેલા એસટી કર્મચારીઓએ શુક્રવારે સાંજે NCP પ્રમુખ શરદ પવારના સિલ્વર ઓક હાઉસમાં અચાનક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન એસટી કર્મચારીઓએ શરદ પવારના ઘર પર પથ્થરો અને ચપ્પલ ફેંકીને વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રના સૌથી ઊંચા નેતાના ઘર પર થયેલા આ હુમલાથી મહાવિકાસ આઘાડી સરકાર પણ ચોંકી ગઈ હતી.