Site icon News Continuous Bureau | Mumbai

Dadar Hanuman Mandir : દાદર રેલવે સ્ટેશનની બહાર હનુમાન મંદિર હટાવવાની નોટિસ, ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઉઠાવ્યા સવાલ; ભક્તોએ આપી ચીમકી…

Dadar Hanuman Mandir : મુંબઈના દાદર રેલવે ઈસ્ટ સ્ટેશનની બહાર સ્થિત હનુમાન મંદિરને લઈને હવે વિવાદ ઉભો થયો છે. સેન્ટ્રલ રેલવે એડમિનિસ્ટ્રેશને મંદિર ટ્રસ્ટને નોટિસ આપી છે કે આ મંદિર ગેરકાયદે બાંધકામ છે અને રેલવેની જમીન પર બાંધવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનના વિસ્તરણ માટે આ મંદિરને દૂર કરવું પડશે.

Dadar Hanuman Mandir Railways Issues Notice To Remove Unauthorized Hanuman Temple At Dadar Station

Dadar Hanuman Mandir Railways Issues Notice To Remove Unauthorized Hanuman Temple At Dadar Station

  News Continuous Bureau | Mumbai

Dadar Hanuman Mandir : મુંબઈના દાદર રેલવે સ્ટેશન પાસેના હનુમાન મંદિરનો વિવાદ વધુ વકરવાની શક્યતા છે. સેન્ટ્રલ રેલ્વેએ મંદિરને તોડી પાડવાની નોટિસ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે અનધિકૃત છે અને રેલવેની જમીન પર બાંધવામાં આવ્યું છે. તેના જવાબમાં શિવસેના યુબીટી જૂથે આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર સરકાર અને બીજેપીના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. 

Join Our WhatsApp Channel

Dadar Hanuman Mandir :  આદિત્ય ઠાકરે આજે સાંજે દાદરના હનુમાન મંદિરમાં મહા આરતી કરશે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ હિન્દુત્વના નામે વોટ માંગે છે પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મૌન છે. મુંબઈમાં મંદિરો તોડવાની વાતો થઈ રહી છે, તેના પર પણ ભાજપ કેમ ચૂપ છે? શિવસેના (ઠાકરે જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે આજે સાંજે દાદરના હનુમાન મંદિરમાં મહા આરતી કરવાના છે.  આદિત્ય ઠાકરે અને સ્થાનિક ધારાસભ્ય મહેશ સાવંત સહિત હજારો શિવસૈનિકો તોડી પાડવાના વિરોધમાં મહા આરતીમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

Dadar Hanuman Mandir :  રેલવેની નોટિસમાં શું છે?

સેન્ટ્રલ રેલવે દ્વારા 4 ડિસેમ્બરે મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીને જારી કરવામાં આવેલી આ નોટિસમાં તેમને ગેરકાયદેસર કબજો ગણાવીને સાત દિવસમાં મંદિરને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. રેલ્વેએ તેની નોટિસમાં કહ્યું છે કે મંદિરના ગેરકાયદેસર કબજાને કારણે ત્યાંના વાહનવ્યવહારમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે અને દાદર સ્ટેશન પર રેલવે દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોમાં પણ અવરોધ આવી રહ્યો છે. રેલવેએ તેની નોટિસમાં ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં મંદિરને હટાવીને શાંતિપૂર્ણ રીતે રેલવેને જમીન સોંપવામાં નહીં આવે તો રેલવે બળપૂર્વક જમીન ખાલી કરી દેશે.

Dadar Hanuman Mandir : કિરીટ સોમૈયા પણ આવ્યા મેદાને

દાદર હનુમાન મંદિરને નોટિસ ફટકારવાના મામલાએ રાજકીય રંગ લીધા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયા પણ મેદાનમાં આવ્યા છે. કિરીટ  સોમૈયાએ રાત્રે 9 વાગ્યે મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રશેખકર બાવનકુળે ના નિવેદન પર લખ્યું કે તેમને રેલવે ઓથોરિટી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ ડિમોલિશન નોટિસની સમીક્ષા કરશે. સોમૈયાએ કહ્યું કે મને આશા છે કે તે પાછી ખેંચી લેવામાં આવશે. સોમૈયાએ આગળ લખ્યું કે દાયકાઓ જૂના હનુમાન મંદિરને તોડી શકાય નહીં.  

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Cabinet Expansion : સૌથી મોટા સમાચાર… કેબિનેટ વિસ્તરણમાં ફરી વિલંબ થશે?, ગૃહ નહીં, હવે ‘આ’ ખાતાને લઈને દુવિધા…

Dadar Hanuman Mandir :  મંદિર 80 વર્ષ જૂનું 

તે જ સમયે, કેટલાક ભક્તોના જણાવ્યા અનુસાર, આ મંદિર 80 વર્ષ જૂનું છે અને તેની સામે રેલવે પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો આ મંદિર હટાવવામાં આવે તો અમે પણ રસ્તા પર ઉતરીશું. મંદિરના પૂજારીઓ પણ કહે છે કે આ મંદિર સાથે હજારો લોકોની લાગણી જોડાયેલી છે, કારણ કે હજારો લોકો દાદર સ્ટેશન પર દરરોજ ટ્રેન પકડવા આવે છે અને આ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને દરરોજ તેમની મુસાફરી શરૂ કરે છે. ઘણા માને છે કે હનુમાનજીની કૃપાથી તેમની યાત્રા સફળ થાય છે. આવી સ્થિતિમાં મંદિરને હટાવવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચશે.

 

 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version