Site icon News Continuous Bureau | Mumbai

Dahisar Firing : હવે અભિષેક મનાલી નહીં જાય, મેં તેને મારી નાખ્યો… મોરીસ ના છેલ્લા શબ્દો. 9 કરોડ નું દેવું, પત્ની છોડીને ગઈ… અભિષેકની રિક્ષાવાળાએ કરી પીટાઈ.. બીજું ઘણુંબધું….

Dahisar Firing : મીડિયા રિપોર્ટ્સ મુજબ મોરિસ નોરોન્હા ના મનમાં ગુસ્સો હતો. તે હંમેશા આનો બદલો લેવાનું વિચારતો હતો. બળાત્કારના કેસમાં જામીન પર છૂટ્યા બાદ મોરિસને તેની પત્ની છોડીને જતી રહી હતી. આ સાથે તેના પર લગભગ 9 કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે. જેના કારણે તેણે પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું..

Dahisar Firing Abhishek Ghosalkar’s Dispute With Auto Drivers Sparked By Morris 9 Crores In Debt, Morris Hatches A Conspiracy

Dahisar Firing Abhishek Ghosalkar’s Dispute With Auto Drivers Sparked By Morris 9 Crores In Debt, Morris Hatches A Conspiracy

News Continuous Bureau | Mumbai 

Dahisar Firing : ઉદ્ધવ જૂથના નેતા અને પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરની ( Abhishek Ghoshalkar ) ગુરુવારે (8 ફેબ્રુઆરી) રાત્રે મુંબઈના દહિસર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અભિષેક ફેસબુક લાઈવ પર ચર્ચા કરી રહ્યો હતો. હુમલા બાદ આરોપીએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોરની ઓળખ મોરિસ નેરોન્હા ( mauris noronha ) તરીકે થઈ હતી. 

Join Our WhatsApp Channel

મોરિસ નોરોન્હાએ જૂની અદાવતમાં આ હત્યા કરી

મુંબઈની MHB પોલીસ ( MHB Police ) મોરિસ નોરોન્હાએ ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરને ગોળી મારીને કેમ હત્યા કરી એ પ્રશ્નનો જવાબ શોધી રહી છે. દરમિયાન અહેવાલ છે કે મોરિસ નોરોન્હાએ જૂની અદાવતમાં ( old enmity ) આ હત્યા કરી છે. મોરિસ અને અભિષેક ઘોસાલકર વચ્ચેનો વિવાદ બળાત્કારના આરોપમાં ( rape charges ) મોરિસની ધરપકડ થયા બાદ ઉગ્ર બની ગયો હતો.

અભિષેક ઘોસાલકરનો રિક્ષાચાલકો સાથે વિવાદ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, બે વર્ષ પહેલા પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકર પોતાની કારમાં બોરીવલી (વેસ્ટ)માં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે સિગ્નલ પાસે રિક્ષા ચાલકે ( Rickshaw driver ) તેની કારને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે તેણે રિક્ષાચાલક સાથે ઝઘડો કર્યો હતો. તે પછી કેટલાક વધુ રિક્ષાચાલકો ત્યાં આવ્યા અને કથિત રીતે અભિષેક ઘોસાલકરને માર માર્યો હતો. બાદમાં મોરિસ નોરોન્હાએ ફેસબુક લાઈવ દ્વારા તેને જાહેર કરીને અભિષેક ઘોસાલકરની મજાક ઉડાવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મોરિસ દ્વારા કરવામાં આવેલી ફેસબુક લાઈવ ઘટનાને કારણે અભિષેક ઘોસાલકરને દહિસર વિસ્તારમાં ઘણી બદનામી સહન કરવી પડી હતી. પછી અભિષેક ઘોસાલકરે મોરિસ અને તેના લિવ-ઇન પાર્ટનર વચ્ચેની દલીલનો પર્દાફાશ કર્યો. આ કેસમાં સ્થાનિક MHB પોલીસે બળાત્કારના આરોપમાં મોરિસની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : School: રાજ્યમાં ચોથા ધોરણ સુધીના વર્ગોના સમયમાં થશે આ મોટો ફેરફાર, હવે વિદ્યાર્થીઓને વહેલી સવારે શાળામાં જવાથી મળશે રાહત..

મોરિસ પર લગભગ 9 કરોડ રૂપિયાનું દેવું

આ કેસમાં મોરિસને 4 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. મોરિસના મનમાં આ જ ગુસ્સો હતો. તે હંમેશા આનો બદલો લેવાનું વિચારતો હતો. બળાત્કારના કેસમાં જામીન પર છૂટ્યા બાદ મોરિસને તેની પત્ની છોડીને જતી રહી હતી. આ સાથે તેના પર લગભગ 9 કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે. જેના કારણે તેણે પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું. “હું અભિષેક ઘોસાલકરને જીવતો નહીં છોડું. રેપ કેસમાં મને જેલમાં ધકેલી દેવામાં તેનો હાથ છે. તેથી હું તેને મારી નાખીશ.” આ માહિતી મોરિસ નોરોન્હાની પત્નીએ પોલીસને આપેલા નિવેદનમાં સામે આવી છે. પહેલા તો પત્નીએ તેની વાત પર ધ્યાન આપ્યું નહોતું, પરંતુ બાદમાં જ્યારે તેમના મતભેદો વધ્યા ત્યારે તેણે મોરિસને છોડી દીધો.

અભિષેક 9 ફેબ્રુઆરીએ પત્ની સાથે મનાલી જવાનો હતો

“મેં અભિષેકને મારી નાખ્યો, હવે તે કાલે મનાલી નહીં જાય” મોરિસ નોરોન્હા અભિષેક ઘોસાલકરની હત્યા પછી ગણગણાટ કરી રહ્યો હતો. એવું કહેવાય છે કે તેણે જાણીજોઈને આ હત્યા માટે 8 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, 14 ફેબ્રુઆરીએ અભિષેકની લગ્નની વર્ષગાંઠ હતી અને તે 9 ફેબ્રુઆરીએ તેની પત્ની અને બાળકો સાથે મનાલી વેકેશન પર જઈ રહ્યો હતો. મારી પત્ની તેને છોડીને જતી રહી, તો અભિષેક કેવી રીતે ખુશ થઈ શકે તે અનુભવતા, મોરિસે 8 ફેબ્રુઆરીના રોજ જાણીજોઈને અભિષેકની હત્યા કરી.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version