દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

શુક્રવાર

ટૂંક સમયમાં અંધેરીના ડી એન નગરથી દહિસર સુધીની મેટ્રો 2 શરૂ થવાની શક્યતા છે. ત્યારે આનંદ નગર વિસ્તારમાં આવેલા મેટ્રો-2ના સ્ટેશનના નામ બાબતે થોડા સમય પહેલાં દહિસર વાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેથી સ્ટેશનનું નામ અપર દહિસરને બદલે હવે આનંદ નગર કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિવિધ પક્ષોના લોકોએ MMRDA વહીવટીતંત્રમાં અરજી કરી હતી અને સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી. તે મુજબ નામ બદલવામાં આવ્યું છે અને સ્થાનિકોએ તેના માટે વહીવટીતંત્રનો આભાર માન્યો છે.

ઈરાન બાદ હવે આ દેશમાંથી આવ્યા કાંદા, ગ્રાહકોની સાથે જ ખેડૂતોને પણ રડાવી રહ્યા છે; જાણો વિગત

અંધેરી પશ્ચિમ ડીએન નગર દહિસર મેટ્રો 2 ની ટ્રાયલ રનનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ દહિસરના સ્થાનિક લોકો સ્ટેશનના નામથી નારાજ હતા. દહિસર વિસ્તાર પહોળો હોવા છતાં મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે આનંદ નગરની હદમાં છે. તેથી અહીંના મેટ્રો સ્ટેશનને અપર દહિસર નામ આપવું સ્થાનિક લોકોને સ્વીકાર્ય ન હતું. એટલા માટે તેના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

આ સંદર્ભે વિવિધ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ એમએમઆરડીએના કમિશનરને મળ્યું હતું અને સ્ટેશનનું નામ બદલવા વિનંતી કરી હતી. સ્થાનિક લોકોની આ માગને લઈને MMRDA કમિશનરે 15 નવેમ્બર 2021ના રોજ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનને પત્ર લખ્યો હતો.જેના જવાબમાં તેઓએ વિનંતી સ્વીકારી અને 24મી નવેમ્બર 2021ના રોજ આ સ્ટેશનનું નામ અપર દહિસરથી બદલીને આનંદનગર મેટ્રો સ્ટેશન કરવામાં આવ્યું અને આગળની તમામ સત્તાવાર પ્રક્રિયાઓ માટે આ જ નામનો ઉપયોગ થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More