Site icon

Mumbai Gokhale Bridge: મુંબઈના ગોખલે બ્રિજનો એક ભાગ ખુલ્લા મૂકવાની તારીખ ફરી પાલિકા દ્વારા બદલાવાઈ.. હવે આ તારીખથી બ્રિજનો એક ભાગ ખૂલ્લો થવાની સંભાવના..

Mumbai Gokhale Bridge: મહાનગરપાલિકા અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે રેલવે ફ્લાયઓવરનો એક ભાગ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અને પ્રશાસકે બુધવારે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ તેનો એક ભાગ વહેલી તકે ટ્રાફિક માટે ખુલ્લો કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

date of opening a part of Mumbai's Gokhale Bridge has been changed again by the municipality.. Now there is a possibility of opening a part of the bridge from this date

date of opening a part of Mumbai's Gokhale Bridge has been changed again by the municipality.. Now there is a possibility of opening a part of the bridge from this date

News Continuous Bureau | Mumbai

Mumbai Gokhale Bridge: મુંબઈ મહાનગરપાલિકાએ ( BMC ) અંધેરી ( Andheri ) પૂર્વ-પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે રેલવે ફ્લાયઓવરનો એક લેન હવે 25 ફેબ્રુઆરીથી શરૂ કરવાની યોજના છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર અને પ્રશાસકે બુધવારે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ તેનો એક ભાગ વહેલી તકે ટ્રાફિક માટે ખુલ્લો કરવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી.

Join Our WhatsApp Community

ગોખલે બ્રિજના ( Gokhale Railway Flyover ) કામની હાલની સ્થિતિ જાણવા માટે મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અમિત સાટમ, ( Western Railway ) પશ્ચિમ રેલવે, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, ટેકનિકલ સુપરવિઝન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કમિશનરે સંબંધિત વિભાગોને ઉપરોક્ત સૂચનાઓ આપી હતી. કમિશનરે જણાવ્યું હતું કે કામનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં પૂર્ણ થવો જોઈએ. જોકે ટેક્નિકલ કામોમાં આ કામમાં વિલંબ થવાની શક્યતાઓ છે.

2જી ડિસેમ્બરની મધ્યરાત્રિએ બ્રિજ માટે પ્રથમ ગર્ડર લાવવાનું કામ પૂર્ણ થયુ હતું. તે પછી, અન્ય તકનીકી કામો 14 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા, જેમાં ગર્ડરને ઉત્તર દિશામાં 13 મીટરના સંતુલન સ્તર પર ખસેડવાનો સમાવેશ થાય છે. આ કામ ખૂબ જ પડકારજનક અને જોખમી હતું. ગોખલે બ્રિજ ( Gokhale Bridge ) દેશનો પહેલો બ્રિજ છે જેમાં ગર્ડરને સૌથી વધુ ઊંચાઈ એટલે કે 7.8 મીટરથી નીચે લાવવાનું કામ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ જણાવ્યું હતું કે, આ પુલનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

 3 જાન્યુઆરીથી બ્રિજને નીચે ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું…

2 ડિસેમ્બરે ગર્ડરો લગાવવામાં આવ્યા બાદ, પશ્ચિમ રેલવે અને ટેકનિકલ કન્સલ્ટન્ટ દ્વારા તમામ પરીક્ષણો અને નિરીક્ષણો પૂર્ણ થયા બાદ જ 3 જાન્યુઆરીથી બ્રિજને નીચે ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ગર્ડર સહિત અન્ય ટેકનિકલ કામો કરવા માટે વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: હવે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ તરફથી VBA નેતા પ્રકાશ આંબેડકરને પણ મળ્યું આમંત્રણ.. જાણો જવાબમાં શું કહ્યું.. જુઓ અહીં..

ઉલ્લેખનીય છે કે, 1975માં બનેલા ગોખલે બ્રિજનો એક ભાગ 3 જુલાઈ, 2018ના રોજ તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં હતાં. બ્રિજનુ માળખુ નબળુ હોવાને કારણે આ કામ હાથ ધરવામાં આવ્યું હતું; જોકે, 7 નવેમ્બર, 2022થી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પુલને તોડી પાડવાની કામગીરી પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે પુનઃનિર્માણ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

મે 2023 સુધીમાં પુલ પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઓછામાં ઓછો એક ભાગ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો રહ્યો છે. પરંતુ વિવિધ કારણોસર આ કામમાં વિલંબ થવાની હાલ શક્યતાઓ છે. નોંધનીય છે કે આ અગાઉ નગરપાલિકાએ 15 ફેબ્રુઆરીના રોજ પુલનો એક ભાગ શરૂ કરવાની યોજના હતી. જેમાં હવે 25 ફેબ્રુઆરીએ પુલનો એક ભાગ ખુલ્લો મૂકવાની સંભાવના છે.

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version