Site icon

મુંબઈના પોલીસ સ્ટેશનમાં હવે વિનયભંગ કે પછી બાળ ઉત્પીડનની ફરિયાદ સીધેસીધી નહી લખાય- DCP ની પરવાનગી જરૂરી- જાણો મુંબઈ પોલીસ કમિશનર ના નવા ઓર્ડર વિશે

News Continuous Bureau | Mumbai 

ગત છઠ્ઠી જૂને મુંબઈના પોલીસ (Mumbai police commissoner)કમિશનર સંજય પાંડે(Sanjay Pandey)એ એક કાર્યાલય આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ(Mumbai police)ની હદમાં આવતા એકેય પોલીસ સ્ટેશને વિનયભંગ કે પછી બાળ ઉત્પીડન (molestation)ની ફરિયાદ સીધેસીધી ન લખવી. પોતાના આદેશમાં કમિશનરે જણાવ્યું છે કે એવું નોંધવામાં આવ્યું છે કે મુંબઈ શહેરમાં વ્યક્તિગત કારણો તેમજ અંદરોઅંદર ના ઝગડા પતાવવા માટે કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરતાં અનેક લોકો આવા પ્રકારની બનાવટી ફરિયાદ કરે છે. તેમજ આવી ફરિયાદ થઇ ગયા બાદ પોલીસ વિભાગે આરોપીની ધરપકડ કરવી પડે છે અને જ્યાં સુધી આરોપ ખોટો સાબિત ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ જેલમાં રહે છે. 

Join Our WhatsApp Community

પોતાના આદેશમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આજ પછી આવા પ્રકારના કોઈ પણ કેસ રજીસ્ટર કરતા પહેલા DCPની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.  તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : એક અઠવાડિયા પહેલા બાંદરા-વરલી સી લિંક પર થયેલા અકસ્માતનો વિડીયો હવે સામે આવ્યો- પક્ષી બચાવવા જતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો- જુઓ વિડિયો

Chaitanya Malik Goa: ગોવાના ચૈતન્ય મલિકને કૃષિ ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન: પ્રજાસત્તાક દિને ‘કૃષિ વિભૂષણ’ એવોર્ડથી નવાજાયા પણજી, ગોવા:
Mumbai: મુંબઈમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિઘ્ન: ઘાટકોપરમાં તિરંગા રેલીમાં જૂથ અથડામણથી ખળભળાટ; જાણો શું હતો સમગ્ર વિવાદ
Mumbai Metro Update 2026: લોકલ ટ્રેનનું ભારણ ઘટશે! ૨૦૨૬માં મુંબઈને મળશે ૩ નવી મેટ્રો લાઇનનું નજરાણું; લોકાર્પણની તારીખ અને રૂટની સંપૂર્ણ વિગત.
Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Exit mobile version