Site icon News Continuous Bureau | Mumbai

Delisle Bridge: લોઅર પરેલનો ટ્રાફિક હળવો થયો… અનેક વર્ષોથી બંધ ‘આ’ બ્રિજ ખુલો મુકાયો.. જાણો વિગતે..

Delisle Bridge: છેલ્લા પાંચ વર્ષથી સમાચારોમાં રહેલો લોઅર પરેલનો ડિલાઈલ રોડ ફ્લાયઓવર ગુરુવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે વાહનો માટે ખોલવામાં આવ્યો હતો. પશ્ચિમથી પૂર્વ તરફનો છેલ્લો રસ્તો વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યા બાદ આ રોડ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી…

Delisle Bridge Lower Parel traffic eased... 'A' bridge, closed for many years, opened.. know details..

Delisle Bridge Lower Parel traffic eased... 'A' bridge, closed for many years, opened.. know details..

News Continuous Bureau | Mumbai

Delisle Bridge: છેલ્લા પાંચ વર્ષથી સમાચારોમાં રહેલો લોઅર પરેલનો ( Lower Parel ) ડિલાઈલ રોડ ફ્લાયઓવર ( Delisle Road Flyover ) ગુરુવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે વાહનો માટે ખોલવામાં આવ્યો હતો. પશ્ચિમથી પૂર્વ તરફનો છેલ્લો રસ્તો વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યા બાદ આ રોડ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિકોને રાહત મળી હતી. એન એમ જોશી માર્ગ અને ગણપતરાવ કદમ માર્ગ પર લોઅર પરેલ ખાતે ડિલાઈલ બ્રિજના એપ્રોચ રોડનું ઉદ્ઘાટન અને સ્લાઇડિંગ સીડીનું ભૂમિપૂજન ગુરુવારે સાંજે મુંબઈ શહેરના પાલક મંત્રી દીપક કેસરકરના નેજા હેઠળ યોજાયું હતું.

Join Our WhatsApp Channel

ડિલાઈલ બ્રિજથી બંને દિશામાં ટ્રાફિક ( Traffic ) શરૂ થવાથી નાગરિકોને દક્ષિણ મુંબઈમાં મુસાફરી કરવાનો સરળ વિકલ્પ મળ્યો છે. એન એમ જોશી માર્ગ પર ડિલાઈલ બ્રિજમાં દરેક દિશામાં ત્રણ લેન અને ગણપતરાવ કદમ માર્ગ પર દરેક દિશામાં બે લેન ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરશે. જૂના પુલની સરખામણીમાં ગણપતરાવ કદમ માર્ગ અને એન એમ જોશી માર્ગ પર વધારાના લેન વિકલ્પની ઉપલબ્ધતાથી ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચોઃ  Tata Technologies IPO: ટાટા ટેક IPO એ બનાવ્યો રેકોર્ડ! ગ્રે માર્કેટમાં ભાવ આસમાને.. રોકાણ કરવાની આજે છે છેલ્લી તક! જાણો વિગતે… 

 ડિલાઈલ બ્રિજનું નામ બદલાવાની માંગણી…

નવા બનેલા બ્રિજમાં ચાર નવા દાદર બનાવવામાં આવશે. ઉપરાંત, બે એસ્કેલેટર ઉમેરવામાં આવશે. સર્વિસ રોડની પહોળાઈમાં વધારો થવાથી અને બ્રિજની નીચે ખાલી જગ્યા હોવાથી રાહદારીઓની અવરજવર પહેલા કરતાં વધુ સરળ બનશે. ડિલાઈલ બ્રિજનું નામ વિદેશી વ્યક્તિનું હોવાથી ઉપનગરોના પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) આ પુલનું નામ ભારતીય વ્યક્તિના નામ પર રાખવાની માગણી કરી હતી. સ્થાનિકોની માંગણી મુજબ આ પુલ નીચે ખુલ્લી જગ્યામાં બગીચો, ઓપન જીમ વગેરે સુવિધાઓ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. IIT મુંબઈના અહેવાલને પગલે પશ્ચિમ રેલવેએ જુલાઈ 2018માં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version