ગણપતિ બાપ્પા મોરિયા- અગલે બરસ તુ જલ્દી આ- મુંબઈમાં લાલબાગચા રાજાને અપાઈ વિદાય- ઉમટી ભક્તોની ભીડ- જુઓ વિડીયો 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra સહિત દેશભરમાં આ વર્ષે કોરોના મહામારીના બે વર્ષ બાદ ગણેશ ચતુર્થી(Ganesh Chturthiનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તેમની હર્ષોલ્લાસ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

મુંબઈ(mumbaiના જગપ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha Rajaની શોભાયાત્રા ‘એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર’ સહિતના ગગનભેદી જય ઘોષ સાથે આજે શનિવારે સવારે 6.30 વાગ્યે ગિરગાંવ ચોપાટી(Girgaon Chowpatyમાં પ્રવેશી હતી.

આ સમાચાર પણ વાંચો : શનિદેવ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે મકર રાશિમાં માર્ગી-આ ચાર રાશિઓ ના ખુલી જશે ભાગ્ય-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

આ સમયે પ્રિય રાજાને વિદાય આપવા માટે ચોપાટી પર લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. 22 કલાકના ઉમંગ, ઉલ્લાસ અને ઢોલ-નગારાના તાલે ઝુલુસ બાદ લાલબાગના રાજાનું ગિરગાંવ સમુદ્રમાં શાહી વિસર્જન કરવામાં આવ્યું હતું. અને 'ગણપતિ બાપ્પા મોર્યા, પૂઢચ્યા વર્ષી લવકર યા…' ના નારા સાથે લાલબાગના રાજાને ભાવુક વિદાય આપવામાં આવી હતી. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More