Dharavi Mosque : પાલિકાએ મસ્જિદ સમિતિને ગેરકાયદે બાંધકામ હટાવવા આપ્યો આટલા દિવસનો સમય, મુસ્લિમ સમુદાય કરશે કોર્ટનો સંપર્ક…

Dharavi Mosque કથિત ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ ધારાવીની મસ્જિદ સમિતિને આઠ દિવસનો સમય આપ્યો છે. ત્યાં સુધી BMC મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં.

by kalpana Verat
Dharavi Mosque Dharavi Mosque Demolition BMC Granted Extension to Mahboob-E-Subhani Mosque Trustees to Remove Alleged Illegal Construction

News Continuous Bureau | Mumbai

Dharavi Mosque : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા મહારાષ્ટ્રના ધારાવીમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. BMC કર્મચારીઓ દ્વારા મસ્જિદને કથિત ગેરકાયદેસર તોડી પાડવાના કારણે અહીં વિવાદ સર્જાયો હતો. સેંકડો લોકો રસ્તા પર આવી ગયા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. હાલ BMCની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે.

Dharavi Mosque :  મુસ્લિમ સમુદાય  કોર્ટનો સંપર્ક કરશે

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલામાં BMCએ મસ્જિદ કમિટીને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે આઠ દિવસનો સમય આપ્યો છે. ત્યાં સુધી BMC મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં. અહેવાલ છે કે મુસ્લિમ સમુદાય આ મસ્જિદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તેની ખાતરી કરવા માટે કોર્ટનો સંપર્ક કરશે.

Dharavi Mosque :  મસ્જિદ બનાવવામાં ઘણા દિવસો અને મહિનાઓ લાગ્યા 

 દરમિયાન સ્થાનિક લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ધારાવીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, “મારો જન્મ અને ઉછેર ધારાવીમાં થયો હતો, જે માળખું BMC અને અન્ય અધિકારીઓ ગેરકાયદે ગણાવી રહ્યા છે તે એક દિવસમાં બનાવવામાં આવ્યું ન હતું. તેને બનાવવામાં ઘણા દિવસો અને મહિનાઓ લાગ્યા હતા, તો ત્યારે અધિકારીઓ ક્યાં હતા? આજે તે માળખાએ મસ્જિદનું સ્વરૂપ લઈ લીધું છે, તેથી હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ મસ્જિદ તોડી પાડશે.

આ સમાચાર પણ વાંચો :  Dharavi Mosque :  ધારાવીમાં મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવાને લઈને સંઘર્ષ, ભીડે BMCનો કર્યો ઘેરાવો; વાહનોમાં કરી તોડફોડ…

વાસ્તવમાં BMC મુંબઈના ધારાવીમાં આવેલી ‘મહેબૂબ સુભાની’ મસ્જિદના અમુક ભાગને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણોસર શુક્રવારે રાતથી જ સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. તેથી તેને તોડવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં, જ્યારે BMCના અધિકારીઓ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More