Dharavi Redevelopment : અદાણી જુથની મોટી યોજના, ધારાવીના તમામ રહીશોને મળશે આવાસ, સરકારની ભાડા યોજના હેઠળ અયોગ્ય પરિવારો માટે પણ આવાસ…

Dharavi Redevelopment :ધારાવીમાં ઉદ્ધવ ઠાકરે જુથની શાખાની મુલાકાત દરમિયાન, શિવસેના ઉબઠા પાર્ટીના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે ધારાવી પ્રોજેક્ટ પરિવારને મુંબઈમાંથી બહાર કાઢી નાખવામાં આવી રહ્યા છે. જો કે અદાણી ગ્રુપે આદિત્ય ઠાકરેના આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ, મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

by Hiral Meria
Dharavi Redevelopment Adani Juth's big plan, all residents of Dharavi will get housing, housing even for ineligible families under the government's rental scheme...

News Continuous Bureau | Mumbai 

Dharavi Redevelopment :ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં ધારાવીમાં જ તમામ પાત્ર ફ્લેટ ધારકોને ઓછામાં ઓછી 350 ચોરસ ફૂટ ફ્લોર સ્પેસ પ્રદાન કરાશે. જે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ હેઠળ આવાસ માટે નવો બેન્ચમાર્ક સેટ કરશે. અદાણી જૂથે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં અપાત્ર ફ્લેટ ધારકોને માટે પણ ફ્લેટની પણ જોગવાઈ છે. જેમને મહારાષ્ટ્ર સરકારની રેન્ટલ હાઉસિંગ સ્કીમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવશે. તેથી હવે તમામ ધારાવીકરોને નવા મકાનો મળશે. 

ધારાવીમાં ઉદ્ધવ ઠાકરે જુથની શાખાની મુલાકાત દરમિયાન, શિવસેના UBT ( Shiv Sena UBT ) પાર્ટીના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ (  Aditya Thackeray ) આક્ષેપ કર્યો હતો કે ધારાવી પ્રોજેક્ટ પરિવારને મુંબઈમાંથી બહાર કાઢી નાખવામાં આવી રહ્યા છે. જો કે અદાણી ગ્રુપે આદિત્ય ઠાકરેના આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ. ( DRPPL ), મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government ) અને અદાણી જૂથ  વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આમાં પાત્ર હોય કે ન હોય, તમામ ધારવિકરોને નવા ઘરો મળશે. અદાણી ગ્રૂપે માહિતી આપી હતી કે તેમને કી-ટુ-કી સોલ્યુશન્સ આપવામાં આવશે અને ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેવાને બદલે સીધા નવા ઘરોમાં ખસેડવામાં આવશે. 

 આ પ્રોજેક્ટ માટે અદાણી જૂથની પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધારે કરવામાં આવી હતી..

તેથી વિપક્ષો દ્વારા લગાવવામાં આવતો પક્ષપાતનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને આ પ્રોજેક્ટ માટે અદાણી જૂથની (  Adani Group )  પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધારે કરવામાં આવી હતી. અદાણી જૂથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે ખુલ્લા ટેન્ડરમાં સૌથી વધુ બિડ સબમિટ કરી હતી. અગાઉની મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન ટેન્ડરના નિયમો અને શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી હતા.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha elections 2024 : મુંબઈમાં 1 લાખ 10 હજારથી વધુ નવા મતદારો વધ્યા, કયા વિસ્તારમાં કેટલા નવા મતદાતા વધ્યા..

આ પ્રોજેક્ટનો મુખ્ય ધ્યેય ધારાવી શહેરને પુનઃવિકાસના મોડેલમાં રૂપાંતરિત કરવાનો અને માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા જીવનધોરણ સુધારવાનો છે. અદાણી ગ્રુપે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ વિઝન માટે પ્રતિબદ્ધ છીએ અને પારદર્શક અને નફાકારક પુનઃવિકાસ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા તમામ હિતધારકો સાથે મળીને કામ કરીશું.

અદાણી જુથે નિવેદનમાં એમ પણ કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આદિત્ય ઠાકરે જેવા રાજકારણીઓ પાયાવિહોણા અને દૂષિત આક્ષેપો કરી રહ્યા છે અને તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે ખોટા વચનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી લોકોએ આવા ભ્રામક નિવેદનોથી દૂર રહેવુ જોઈએ અને વિકાસ કાર્યને સહયોગ આપવો જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More