શું ભ્રષ્ટાચારને કારણે મુંબઈ શહેરમાં ફાયર બ્રિગેડ નું ગણિત બગડ્યું? શું એન.ઓ.સી માત્ર 10 હજાર રૂપિયામાં વેચાય છે? જાણો ચોંકાવનારો મીડિયા અહેવાલ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

મુંબઈ શહેરમાં દરેક ઊંચી ઇમારત એ પોતાનું ફાયર ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ફાયર ઓડિટ બિલ્ડિંગમાં રહેલા તમામ ફાયર ફાઈટિંગ ના ઉપકરણો યોગ્ય રીતે ચાલતા હોય તો જ મળે છે. જોકે મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મુંબઈ શહેરમાં માત્ર દસ હજાર રૂપિયામાં ફાયરનું એનોસી મળે છે. વાત એમ છે કે આ કામ માટે પ્રાઈવેટ સંસ્થાઓની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રાઇવેટ સંસ્થાઓ ભ્રષ્ટાચારના માધ્યમથી આડેધડ પૈસા વસુલે છે તેઓ અહેવાલ છે. આ પ્રકારની એનઓસી ને કારણે બિલ્ડિંગમાં જ્યારે આગ લાગે છે ત્યારે ઉપકરણો રહેલી ગડબડ જણાઈ આવે છે. આવા સમયે ફાયરબ્રિગેડ પણ કશું કરી શકતું નથી.

લ્યો કરો વાત? મુંબઈ શહેરમાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે રીક્ષા. હવે આ વાતનો ખુલાસો થયો, અનેકની ધરપકડ

હવે આ મામલે ફાયર ફાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં ઘમાસાણ થયું છે. તેમજ આવનારા દિવસોમાં આ સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More