આફ્રિકન સિંહની ગર્જના હવે મુંબઈમાં પહોંચશે અને બીજા અનેક જાનવરો પણ મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે; જાણો મુંબઈના રાણીબાગનાં નવાં આકર્ષણો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

શનિવાર

દેશ-વિદેશના પર્યકોમાં મુંબઈના ભાયખલામાં આવેલું વીરમાતા જીજાબાઈ ઉદ્યાન  બહુ માનીતું છે. આ રાણીબાગમાં હવે નવા મહેમાનનું આગમન થવાનું છે. આગામી દિવસોમાં અહીં આફ્રિકાથી સફેદ સિંહ લાવવામાં આવવાનો છે. એ સાથે જ ચિત્તા, ચિંપાઝી, લેસર ફ્લેમિંગો, ઈમૂ, બ્લૅક જેગ્વાર, મંદ્રીલ મંકી, હિપ્પો પોટમસ જેવા નવા પશુ-પંખીઓ પણ લાવવામાં આવવાનાં છે.

રાણીબાગના આ નવા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવાં પાંજરાં બનાવવામાં આવશે. એ માટે પાલિકા 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પર્યટકો તેમને જોઈ શકે એ માટે ગૅલેરી પણ બનાવવામાં આવવાની છે. રાણીબાગમાં નવા રસ્તા, આર્કષક ફૂટપાથ, આર્ટિફિશિયલ  

મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા

લૅક પણ બાંધવામાં આવશે. એ ઉપરાંત આગામી દિવસોમાં અહીં પ્રાણીઓ માટે હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More