News Continuous Bureau | Mumbai
Ghatkopar Hoarding Collapse: વાવાઝોડામાં થયેલી તબાહીના પગલે ઘાટકોપરમાં ( Ghatkopar ) પેટ્રોલપંપ ઉપર હોર્ડિંગ્ તુટી પડવાથી ઘાયલ થયેલા દર્દીઓની ઉપરનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ રાજાવાડી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તથા તેમના પરિવાર જનોને પણ સાંત્વના આપી હતી. આ ઉપરાંત દુર્ઘટનામાં ઘાયલ થનારાઓને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
અસરગ્રસ્તોની મુલાકાત બાદ પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાઐ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે હાલમાં, એક વ્યક્તિ રાજાવાડી હોસ્પિટલમાં આઈસીયુમાં છે અને અન્યોની સ્થિતિમાં સંતોષકારક સુધારો થઈ રહ્યો છે, તેમણે જાહેરાત કરી હતી કે ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ ઘાયલોને કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય આર્થિક વળતર પણ આપવામાં આવશે. ૬૦ ટકા કરતા ઓછી ઇજા ધરાવતા દર્દીને ૭૫૦૦૦ રૂપિયા અને ૬૦ ટકાથી વધુ ઇજા થઇ હોય તેવા વ્યક્તિઓને ૨૫૦૦૦૦ રૂપિયાનું વળતરની ( Financial assistance ) જોગવાઇ હોવાનું પાલક મંત્રી લોઢાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય ઘાયલ લોકોને ૫૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Best 7 Seater Car: મોટા પરિવાર માટે યોગ્ય, લોકો જોરશોરથી ખરીદી રહ્યા છે આ 7 સીટર ફેમિલી કારો… જાણો અહીં સંપુર્ણ યાદી..
આ જાહેરાતનું મોટું હોર્ડિંગ પેટ્રોલ પંપ ( Petrol pump Collapse ) પાસે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ પાઠવ્યા બાદ પણ આ વિસ્તારનાં હોર્ડિંગ હટાવાયા ન હતા. આ હોડિગનું સલામતી ઓડિટ થયું હોવાનું પણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને પકડી તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે એમ પત્રકારો સાથે વાત કરતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે આ અકસ્માત નથી પરંતુ હત્યા છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.