પાલઘરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં એક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા પાલઘરના બોઈસર વિસ્તારમાં આજે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ  આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કંપની પાલઘર જિલ્લાના બોઈસર સ્થિત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છે. હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આગમાં કેમિકલ કારખાનું સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક આગમાં ફસાઈ ગયો હતો. તે કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતો. 

આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..

જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આવી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *