Site icon

હવાઈ મુસાફરો માટે કામના સમાચાર – મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તારીખે છ કલાક માટે રહેશે બંધ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઓક્ટોબર(October) મહિનામાં મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો : બોરીવલીના આંગણે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બોલાવશે ગરબાની રમઝટ- હાઇકોર્ટે ગરબા ઇવેન્ટને લઈને દાખલ કરાયેલ અરજી ફગાવી

મહત્વનું છે કે  અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version