ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા ઉદ્ધવ ઠાકરે ને મોટા ફટકા પડી રહ્યા છે. હવે આ જ્યાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યાંના નેતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

by Dr. Mayur Parikh
former Worli corporator Datta Narvankar joined the Shiv Sena in the presence of CM Ekanth Shinde

ઉદ્ધવ ઠાકરે માટે વરલી વિધાનસભાની સીટ ઘણી મહત્વપૂર્ણ છે. આનું કારણ એવું છે કે અહીંથી તેમના સુપુત્ર આદિત્ય ઠાકરે વિધાનસભા સુધી પહોંચ્યા. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અહીં રેલી કરી હતી. હવે વરલીના ભૂતપૂર્વ કોર્પોરેટર દત્તા નરવણેકરએ ઉદ્ધવ ઠાકરેની શિવસેના નો સાથ છોડી દીધો છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના માં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસમાં ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના ત્રણ મોટા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More