Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસી લેનારા સુરક્ષિત, નહીં લેનારને માથે છે આ ખતરો; જીનોમ સિક્વન્સિંગ લેબનો ખુલાસો; જાણો વિગતે

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Community

મુંબઈ, 13 નવેમ્બર, 2021

શનિવાર

મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કોરોનાના બદલાતા સ્વરૂપો ચકાસણી માટે કસ્તુરબા હોસ્પિટલમાં સ્થપાયેલી જીનોમ સિક્વન્સિંગ લેબનો ચોથો રિપોર્ટ શુક્રવારે બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલમાં રસી લેનારાઓ માટે રાહતના મોટા સમાચાર છે. જેમણે રસી લીધી છે તેમને કોરોના થયા પછી બહુ તકલીફ નથી થઈ. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે રસી લીધેલી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. જ્યારે 4 એવા લોકોના મોત થયા છે જેમણે રસી લીધી નથી.

પાલિકાએ ચોથા રિપોર્ટ માટે 281 કોરોના દર્દીઓના નમૂનાનું પરીક્ષણ કર્યું હતું. જેમાંથી 75 ટકા લોકોમાં કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ અને 25 ટકા લોકોમાં ડેલ્ટા ડેરિવેટિવ વેરિઅન્ટ જોવા મળ્યું હતું. બંને ડેલ્ટા પ્લસ કરતા ઘણા ઓછા ઘાતક છે.

આ 5 રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ભાજપે પાણીની જેમ વહાવ્યા જનતાના કરોડો રૂપિયા; તોય ખાસ સફળતા હાથ ન લાગી; જાણો ખર્ચના આંકડા

જો આપણે આ રિપોર્ટના પરિણામો પર નજર કરીએ તો મૃત્યુ પામેલા 4 લોકો 60 વર્ષથી વધુ વયના હતા અને તેઓએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. કોરોનાને હરાવવા રસીના ડોઝ લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના માટે મહાનગરપાલિકા પ્રસાર માધ્યમ દ્વારા લોકોને રસી અંગે વારંવાર જાગૃત કરી રહી છે. આટલું જ નહીં તે કેમ્પ લગાવી રહી છે અને કોઈ પણ દસ્તાવેજ વિના લોકોને રસી આપી રહી છે.

એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ પાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં સ્થિત નેક્સ્ટ જનરેશન જીનોમ સિક્વન્સિંગ લેબમાં ચોથી બેચમાં મુંબઈ અને આસપાસના શહેરના કોરોના દર્દીઓના કુલ 345 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 281 દર્દીઓ મુંબઈના હતા. મુંબઈમાં 281 દર્દીઓમાંથી 26 દર્દીઓ 20 વર્ષથી ઓછી વયના, 21થી 40 વર્ષની વયના 85 દર્દીઓ, 41થી 60 વર્ષની વયના 96 દર્દીઓ, 61થી 80 વર્ષની વયના 66 દર્દીઓ, 81થી 100 વર્ષની વયના આઠ દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા.

રસીના ડોઝ લીધેલા 29 લોકોને કોરોના થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 8 લોકોએ બંને ડોઝ લીધા હતા અને 21 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. તેમાંથી કોઈને ઓક્સિજનની જરૂર ન પડી. જ્યારે 69 લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. જેમાંથી 12 લોકોને કોરોના થવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમાંથી ચારને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી અને તેમાંથી અન્ય ચાર દર્દી મૃત્યુ પામ્યા હતા.

ડેલ્ટા વાયરસ 20 વર્ષથી ઓછી ઉંમરના 19 લોકોમાં જોવા મળ્યું હતું. તેમાંથી 11 ડેલ્ટા વેરિઅન્ટ અને 8 ડેલ્ટા ડેરિવેટિવ્ઝથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ તમામની ઉંમર 18થી 19 વર્ષની હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોઈ ચેપ જોવા મળ્યો નથી. આનાથી સ્પષ્ટ છે કે હાલમાં નાના બાળકોમાં કોરોનાની કોઈ ખાસ અસર નથી.

કોરોના રસી અંગે થયો ચોંકાવનારો ખુલાસો, આ દેશમાં ચીનની વેક્સીન લેનારા 73% લોકોના થયા મૃત્યુ; જાણો વિગતે

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version