Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસી અંગે થયો ચોંકાવનારો ખુલાસો, આ દેશમાં ચીનની વેક્સીન લેનારા 73% લોકોના થયા મૃત્યુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ચીન ની કોરોના રસીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ચીનની રસી સિનોવાક નિષ્પ્રાણ સાબિત થઈ છે.

મલેશિયામાં 1 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર 2021 વચ્ચે કોરોનાથી 7636 મૃત્યુ થયા હતા. તેમાંથી 2159 એવા હતા કે બંને ડોઝ આપ્યાને 14 દિવસ થયા હતા. 

આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 1573 એટલે કે 72.8% એવા હતા જેમને ચીનની સિનોવાક રસી અપાઈ હતી.

મલેશિયામાં જીવ ગુમાવનારા 7636 દર્દીઓમાંથી 4076ને રસી મળી ન હતી. 1401 બીજો ડોઝ આપવાનો બાકી હતો. 

બંને ડોઝ લીધા પછી મૃત્યુ પામેલા 75% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. 94% લોકો એવા હતા જેમને એક કરતા વધુ બીમારીઓ હતી. 

ફાઈઝરના એક ડોઝ પછી કોરોનાથી 550 મૃત્યુ (25.5%) અને એસ્ટ્રાઝેનેકાના સંપૂર્ણ ડોઝ પછી કોરોનાથી 36 મૃત્યુ (1.7%) થયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીને ચારેય ક્ષેત્રો (એશિયા પેસિફિક, યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા)ના 113 દેશોને કોરોનાની રસી આપી છે.

સાવચેત રહેજો! યુરોપ બન્યું કોરોના મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની વિચારણા, જાણો વિગતે

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
Exit mobile version