Site icon

અંધેરીનો ગોખલે બ્રિજ 7 નવેમ્બરથી વાહન વ્યવહાર માટે રહેશે બંધ – હવે આ વૈકલ્પિક માર્ગ પરથી કરી શકશો મુસાફરી

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ ગોખલે બ્રિજ(Gokhale bridge)ને ઓછામાં ઓછા બે વર્ષ સુધી તમામ વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પુલનો એક ભાગ 2018માં તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. દરમિયાન, અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ પુનઃનિર્માણ માટે સોમવાર 7 નવેમ્બરથી બંધ રહેશે.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા મુંબઈ મહાનગરપાલિકા(BMC) અને મુંબઈ પોલીસે(Mumbai Police) આ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ પુલ અંધેરી પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મુખ્ય અને ઉપનગરીય માર્ગ છે. નગરપાલિકા દ્વારા નિયુક્ત કન્સલ્ટન્સી ફર્મે ગોખલે બ્રિજને બંધ કરવાનું સૂચન કર્યું હતું કે તે વાહનોની અવરજવર માટે જોખમી અને અસુરક્ષિત છે. આ પછી પુનઃનિર્માણ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી પુલને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંધેરીમાં ગોખલે બ્રિજ બંધ થવાને કારણે સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ટ્રાફિક માટે 6 વૈકલ્પિક માર્ગો આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો: માત્ર એક માસની બાળકીના પેટમાંથી મળી એવી વસ્તુ- કે ડોક્ટરો પણ થઈ ગયા અવાક- કહ્યું- આવો કેસ તો દુનિયામાં પહેલી વખત

ખાર સબવે(Khar Subway), ખાર

મિલન સબવે ફ્લાયઓવર(Milna Subway Flywover), સાંતાક્રુઝ 

કેપ્ટન ગોરે ફ્લાયઓવર (વિલેપાર્લે ફ્લાયઓવર), વિલેપાર્લે

અંધેરી સબવે, અંધેરી, મુંબઈ

બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર, જોગેશ્વરી

મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર, ગોરેગાંવ

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version