News Continuous Bureau | Mumbai
Gokhale Road Bridge : મુંબઈમાં અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરને ( barfiwala flyover ) ઉપર તરફ ઉપાડવાનું અને તેને હાઇડ્રોલિક જેક તથા MS સ્ટૂલ પેકિંગ નો ઉપયોગ કરીને ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરની સમાંતર ગોઠવવાનું અત્યંત પડકારજનક કાર્ય મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરનો એક ભાગ એક તરફ 1,397 mm અને બીજી બાજુ 650 mm જેટલો ઊંચો કરવામાં આવ્યો છે. આ જોડાણની કામગીરી માટે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા માઇક્રો લેવલના આયોજન અને અથાક પ્રયાસોને કારણે આ મહત્વના તબક્કામાં સફળતા મળી છે. મુંબઈ મહાપાલિકા દ્વારા કોંક્રીટ ક્યોરિંગની કામગીરી બાદ આ બંને બ્રિજ પર 1 જુલાઈ, 2024થી વાહનવ્યવહાર ( Transportation ) શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગોખલે બ્રિજની ( Gokhale Flyover ) એક બાજુ 26 ફેબ્રુઆરીએ ખોલવામાં આવી હતી. પરંતુ અંધેરીની પશ્ચિમ દિશામાં બરફીવાલા બ્રિજ અને ગોખલે બ્રિજની એક બીજાથી ઉપર નીચે રહ્યા હતા. જેથી બરફીવાએ પુલ બંધ રાખવો પડ્યો હતો. તેમજ આ બે પુલ વચ્ચેના અંતરને કારણે મુંબઈ મહાનગરપાલિકાની ટીકા પણ થઈ હતી. ગોખલે બ્રિજ અને બરફીવાલા બ્રિજને જોડવા માટે મ્યુનિસિપલ પ્રશાસને મુંબઈ IIT અને VGTIની મદદ લીધી હતી. તેમના અહેવાલ મુજબ, હાલમાં આ બંને પુલને જોડવા માટે બ્રિજના એક ભાગને જેકઅપ કરીને બ્રિજનું લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામ 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગોખલે પુલનું કામ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (VGTI) અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ પ્રશાસને ખાતરી આપી છે કે આ કામ નિયત સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે અને પહેલી જુલાઈથી આ બંને બ્રિજ પરથી વાહનવ્યવહાર સુચારૂ રીતે શરૂ થઈ જશે.
Gokhale Road Bridge : વીરમાતા જીજાબાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી IIT દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવ્યું..
બે પુલને જોડવા માટે જરૂરી સ્ટીચીંગના કોંક્રીટીંકરણ કર્યા બાદ આગામી છ કલાક સુધી વરસાદ નહી પડે તેવી અપેક્ષા અને જરુરત હતી. રસપ્રદ વાત એ છે કે, આ કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં 12 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડ્યો ન હતો, તેથી કોંક્રીટીંગ અને જોડવાનું કામ કોઈપણ વિક્ષેપ વગર થઈ શક્યું હતું. તેથી આ કાર્યને કુદરતનો સાથ પણ મળ્યો એમ કહેવું ખોટું નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : RBI Action:RBIની ‘આ’ બેંક સામે મોટી કાર્યવાહી.. આ બેંકનું લાઇસન્સ કર્યું રદ, સામાન્ય ગ્રાહકો પર શું થશે અસર? જાણો…
સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરને એક બાજુએ 1,397 મીમી અને બીજી બાજુ 650 મીમી સુધી ઉપાડવા માટે હાઇડ્રોલિક જેક અને એમએસ સ્ટૂલ પેકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરની નીચે પેડેસ્ટલ (સહાયક થાંભલા) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કનેક્ટિંગ ભાગને ટેકો આપતા કુલ બે સહાયક થાંભલા તેમજ ફ્લાયઓવર ગર્ડરને 1,397 mm જેટલો વધારો કરે છે. આ ઉપરાંત, તે મોલ્ડમાં છ નવા બેરિંગ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરના થાંભલાઓ સાથે પેડેસ્ટલ પરના બોલ્ટને મેચ કરવાનો ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર હતો. માત્ર 2 મીમીના અંતરમાં આ બંને પગથિયાંને ખૂબ જ ચોકસાઈપૂર્વક મેચ કરવાના પડકારને બ્રિજ વિભાગના એન્જિનિયરો અને સલાહકારોની ટેકનિકલ ટીમ દ્વારા ખૂબ જ આયોજન અને વૈજ્ઞાનિક રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. વીરમાતા જીજાબાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (VGTI), I.I.T. અને આ પડકારજનક કાર્ય ટેકનિકલ કન્સલ્ટન્ટ, સ્ટ્રકટ્રોનિક્સ કન્સલ્ટિંગ એન્જિનિયર્સની દેખરેખ હેઠળ પૂર્ણ થયું હતું.
Gokhale Road Bridge : સી.ડી. બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે ફ્લાયઓવરના કનેક્ટિંગ ગર્ડરને સંરેખિત કરવાનું કામ વરસાદ દરમિયાન કરવું પડ્યું હતું
સી.ડી. બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે ફ્લાયઓવરના કનેક્ટિંગ ગર્ડરને ( connecting girder ) સંરેખિત કરવાનું કામ વરસાદ દરમિયાન કરવું પડ્યું હતું. ઉપરાંત, ઉક્ત કાર્ય પછી, લગભગ છ કલાક સુધી વરસાદ ન થાય તેવી જરુર હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉક્ત છ કલાક દરમિયાન વરસાદ પડે તો તે સ્થળે રેઈન પ્રૂફ શેડની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આ છ કલાકના સમયગાળા દરમિયાન જ નહીં, સુરદેવે ત્યારબાદ લગભગ 12 કલાક સુધી વરસાદ પડ્યો ન હતો. પરિણામ એ આવ્યું કે કુદરતે પણ આ કામમાં મહાનગરપાલિકાને સાથ આપ્યો હતો.
બરફીવાલા બ્રિજ વિભાગને ગોખલે બ્રિજ સાથે જોડવા માટે સિવિલ એન્જિનિયરિંગ મુજબ સ્ટીચીંગ અને કોંક્રીટીંકરણની ( concretization ) કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત કરાયેલા સ્ટીચીંગ કામ દરમિયાન બંને બ્રિજની લોખંડની પટ્ટીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટ દ્વારા સૂચવવામાં આવેલા સ્ટ્રક્ચર મુજબ વેલ્ડિંગ કરવામાં આવી છે. હવે અહીં કોંક્રીટ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પછી, લગભગ 14 દિવસની પુનઃપ્રાપ્તિ અવધિ અપેક્ષિત છે. કોંક્રીટીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આ કામમાં ઉચ્ચ ગુણવત્તાની કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામ બાદ 24 કલાકમાં બ્રિજનું લોડ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે બ્રિજને જોડવાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. બ્રિજ વિભાગે નિવેદન આપતા એમ પણ કહ્યું હતું કે, આ પછી પુલ પર વાહનવ્યવહાર શરૂ કરવા માટે પૂર્વ નિર્ધારિત પગલાં મુજબ જરૂરી કામગીરી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Borivali Skywalk : બોરિવલીના સ્કાયવોકના સમારકામ માટે આટલા કરોડને મંજુરી આપવા છતાં, કોન્ટ્રાકટરનું બ્રિજના કામ તરફ દુર્લક્ષ..