મુંબઈમાં આયોજિત બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ચોરોએ કરી હાથ સફાઈ, કરી આટલા લાખના દાગીનાની ચોરી..

by kalpana Verat
gold jewellery stealed in dhirendra shastri divya darbar at mira road mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં ગત શનિવારે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ દિવસે જ બાગેશ્વર ધામ સરકારના દર્શન કરવા આવેલી  સોનાની ચેઈન અને મંગળસૂત્રની ચોરી થઈ હતી. શનિવારે, ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓ દૈવી દરબારમાં હાજરી આપવા અને તેમના પ્રવચનો સાંભળવા આવતા હતા. શનિવારે સાંજે 5.30 કલાકે શરૂ થયેલો કાર્યક્રમ રાત્રે 9.30 કલાકે પૂરો થયો હતો. આ દરમિયાન ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી

મીડિયા રિપોર્ટ મુજબ અનુસાર, 36 મહિલાઓએ મંગળસૂત્ર અને ગળાની ચેઈનની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલા સોનાની કુલ કિંમત 4 લાખ 87 હજાર રૂપિયા છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, મીરા રોડમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 2 દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને તેને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  1 થી 9 સુધીમાં આ નંબર હોય છે સૌથી પ્રભાવશાળી, આ લોકો અમીરીમાં વિતાવે છે તેમનું જીવન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More