Site icon News Continuous Bureau | Mumbai

હવે વિરાર ના આ પૌરાણિક મંદિર સુધી પહોંચ્યું હેલિકોપ્ટર .માર્ગ થયો વધુ મોકળો. જાણો વિગત ….

ન્યૂઝ કન્ટિન્યુઝ  બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .

        મુંબઈ ના વિરાર ખાતે આવેલા જીવદાની મંદિર માં હવે ભાવિકો માટે હેલીકોપ્ટર  સેવા શરુ થવાની છે .વર્ષો થી વિરાર નું  જીવદાની મંદિર એ શ્રદ્ધાળુ ઓ માટે આસ્થા નું પ્રતીક બની ગયું છે .ત્યાં રોજ હજારો ની સંખ્યા માં લોકો દર્શન કરવા જાય છે.

Join Our WhatsApp Channel


            જીવદાની મંદિર ના સંચાલક પ્રદીપ તેંડુલકર જણાવે છે કે ,' આ મંદિર માં ફક્ત મુંબઈ જ નહિ મહારાષ્ટ્રના નાના નાના ગામ માંથી પણ લોકો દર્શન  કરવા ઉમટે છે .માટે જ અમે એ દર્શનાર્થી ઓ ની સુવિધા માટે હેલિકોપ્ટર સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે .આવતા એક  મહિના ની અંદર યાત્રીઓ આ સુવિધા નો લાભ ઉઠાવી શકશે .'   હાલમાં જીવદાની મંદિર ના મેદાન માં તાત્પુરતુ  હેલિપેડ બનાવવાની તૈયારી ચાલી રહી છે.ભવિષ્ય માં  હાઇડ્રોલીક હેલિપેડ બનાવવાની યોજના પણ છે .પુના સ્તિથ વરદ એવિએશન નામની પ્રાઇવેટ કંપની પાસે થી આ સેવા આપવા માં આવશે .
       જીવદાની મંદિર માં આ હેલિકોપ્ટર માં એક સાથે પાંચ યાત્રી ઓ ને બેસાડવા ની સગવડ છે .તે માટે યાત્રીઓએ  3500 થી 5000 રૂપિયા સુધી ની રકમ ચુકવવાની રહેશે .શનિવાર અને રવિવારે પણ આ સેવા ચાલુ રહેશે .જોકે અત્યારે જીવદાની મંદિર માં રોપવે  ટ્રેન થી પણ જઈ  શકાય છે.

Terror in Kandivali। કાંદિવલીમાં ભયનો માહોલ હાથમાં ચપ્પુ લઈને નીકળેલા શખ્સે દુકાનોમાં તોડફોડ કરી, પથ્થરમારો કરતા બે ઘાયલ
Titwala Drugs Case। ટીટવાલા ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા ઉત્તર પ્રદેશથી પાંચમો આરોપી ઝડપાયો
Mumbai Central Railway Fine Record| મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા; એપ્રિલના અંતિમ દિવસે 68.54 લાખની વસૂલાત
Mumbai Metro Door Safety Issue। મુંબઈ મેટ્રોમાં ભયાનક બેદરકારી હાઈસ્પીડ ટ્રેનના દરવાજા ખુલ્લા રહી જતા મુસાફરોના જીવ જોખમમાં
Exit mobile version