મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની મળી ભાળ, અહીં છુપાયેલા છે પરમબીર સિંહ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

ગુરુવાર.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પરમબીર સિંહે પોતે ચંદીગઢમાં હોવાનું જણાવ્યું છે.

પરમબીર સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન પરમબીર સિંહે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસોની તપાસમાં જોડાશે. 

ગયા અઠવાડિયે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીર સિંહને ‘જાહેર ગુનેગાર’ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More