IIT Bombay Placement: IIT બોમ્બેના 36% વિદ્યાર્થીઓને ન મળી નોકરી, રાહુલ ગાંધીએ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યું- મોદીની ન તો રોજગાર નીતિ છે કે ન તો ઈરાદો

IIT Bombay Placement: પ્રખ્યાત એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્લેસમેન્ટ સીઝન ડિસેમ્બરથી શરૂ થઈ હતી. 2024 બેચના 2,000 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ 712 વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી.

by Bipin Mewada
IIT Bombay Placement 36% students of IIT Bombay did not get jobs, Rahul Gandhi targeted Modi, said - Modi has neither employment policy nor intention..

 News Continuous Bureau | Mumbai 

IIT Bombay Placement: મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( IIT Bombay ) દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. જ્યાં દર વર્ષે સેંકડો યુવાનો તેમના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરીને પ્રવેશ લે છે. જાન્યુઆરીમાં, માહિતી બહાર આવી હતી કે IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને દર વર્ષે 1 કરોડ રૂપિયાની નોકરીની ઓફર ( job offer ) મળી છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે IIT બોમ્બેના લગભગ 36 ટકા વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ નોકરી મળી નથી. આ વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્લેસમેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ આંકડો ઘણો ચોંકાવનારો છે.

એક રિપોર્ટ અનુસાર, પ્રખ્યાત એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્લેસમેન્ટ સીઝન ડિસેમ્બરથી શરૂ થઈ હતી. 2024 બેચના 2,000 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ ( Placement ) માટે નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ 712 વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. જો કે, પ્લેસમેન્ટ સીઝન હજી પૂરી થઈ નથી અને તે સત્તાવાર રીતે મે 2024 માં સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, IIT બોમ્બેના બાકીના વિદ્યાર્થીઓને ( students ) બાકીના બે મહિનામાં નોકરી મળે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

 ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે IIT બોમ્બેમાં પ્લેસમેન્ટમાં ઘટાડો થયો છે..

જણાવવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે IIT બોમ્બેમાં પ્લેસમેન્ટમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે, IIT બોમ્બેના 32.8 ટકા વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી નોકરી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. જોકે, સંસ્થાએ આ માટે વૈશ્વિક આર્થિક મંદીને જવાબદાર ગણાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Adani Green Energy: અદાણીની ગ્રીન એનર્જીએ રચ્યો ઈતિહાસ, 10 હજાર મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરી હાંસલ કરી આ સિદ્ધી..

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેસમેન્ટ માટે આવનારી કંપનીઓમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના ( Engineering Department ) વિદ્યાર્થીઓની સૌથી વધુ માંગ છે. પરંતુ આ વર્ષે તેના વિદ્યાર્થીઓ પણ 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કરી શક્યા નથી. સામાન્ય રીતે, આ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 100 ટકા હોય છે.

દરમિયાન, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે X પર લખ્યું હતું, “હવે IIT જેવી ટોચની સંસ્થાઓ પણ ‘બેરોજગારીની બીમારી’ની ઝપેટમાં આવી ગઈ છે. ગયા વર્ષે 32% વિદ્યાર્થીઓ IIT મુંબઈમાં અને આ વર્ષે 36% વિદ્યાર્થીઓ નોકરી મેળવી શક્યા નથી. દેશની સૌથી પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થાની આ હાલત છે, તો કલ્પના કરો કે ભાજપે આખા દેશની શું હાલત કરી હશે. કોંગ્રેસ દ્વારા દેશ સમક્ષ યુવાનો માટે નક્કર રોજગાર યોજના રજૂ કર્યાને લગભગ એક માસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ભાજપ સરકારે આ મુદ્દે કોઈ પગલા લીધા નથી. નરેન્દ્ર મોદી પાસે રોજગારી આપવા માટે ન તો કોઈ નીતિ છે કે ન તો ઈરાદો, તેઓ માત્ર દેશના યુવાનોને ભાવનાત્મક મુદ્દાઓમાં ફસાવીને છેતરે છે. આ સરકારને ઉખાડીને યુવાનો પોતાના ભવિષ્યનો પાયો નાખશે. કોંગ્રેસનો #યુવાન્યાય દેશમાં એક નવી ‘રોજગાર ક્રાંતિ’ને જન્મ આપશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More