Site icon

મુંબઈના આ પ્રખ્યાત પ્રાણીસંગ્રહાલયમાં હવે પર્યટકોને ફક્ત શાકાહારી ભોજન જ મળશેઃ શિવસેના માંસાહારના વિરોધમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.

ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય(રાણીબાગ)ની મુલાકાતે આવનારા પ્રવાસીઓને કાફેટેરિયામાં ફક્ત શાકાહારી ભોજન જ મળવાનું છે. શિવસેનાના આ નિર્ણયને પ્રાણીપ્રેમીઓની સાથે જ શાકાહારીઓએ વધાવી લીધું છે. પરંતુ શિવસેનાને કેફેટેરિયામાં માંસાહાર ભોજન રાખવાનો વિરોધ કરતા અમુક લોકોને તે વાત પસંદ આવી નથી.

Join Our WhatsApp Community

રાણીબાગમાં આવેલા કેફેટેરિયાની જગ્યા ભાડા પર આપવાનો પ્રસ્તાવ સુધાર સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો. જેમાં અહીં ફક્ત શાકાહારી ભોજન જ મળશે એવી શરત હોવાનું કહેવાય છે. સુધાર સમિતિમાં આ કેફેટેરિયા પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવવાનું છે, તે માટે દર મહિને 5,50,025 રૂપિયાનું ભાડું વસૂલવામાં આવવાનું છે.

 

કંગાળ થઈ ગયેલી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા પ્લોટની કરશે ઈ-લીલામી; જાણો વિગત

સૌથી વધુ શાકાહારી પૂરક શહેર તરીકેનો પેટા ઈન્ડિયા આ સંસ્થા તરફથી મુંબઈને 2021નો પુરસ્કાર મળ્યો હતો, જે મુંબઈના મેયર કિશોરી પેડણેકરે સ્વીકાર્યો હતો. ત્યારબાદ મુંબઈમાં ફરી શાકાહાર-માંસાહારનો મુદ્દો ચગ્યો છે. 

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version