Site icon

મલાડના સ્કાયવોકને લઈને ભાજપે મુંબઈ મનપા પર કરી દીધો આટલો મોટો આરોપ.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

 મલાડ (પૂર્વ) પોદ્દાર રોડ પર 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારા સ્કાયવોક સામે સ્થાનિક નાગરિકો સહિત ભાજપે વિરોધ કર્યા હતો. નાગરિકોને વિરોધને પગલે રાજ્ય સરકારે સ્કાયવોકના કામ પર સ્ટે આપી દીધો હતો. છતાં ચાર મહિના બાદ પાલિકાએ આ પૂલનું કામ ફરી ચાલુ કરી દીધુ હોવાનો કથિત આરોપ સ્થાનિક નાગરિક સહિત ભાજપે કર્યો છે. 

પાલિકાના દાવા મુજબ રાજય સરકાર પાસેથી કામ રોકી દેવા માટેનો તેમને લેખિતમાં કોઈ આદેશ મળ્યો નથી.

જોકે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યુ હતુ કે પાલિકા કોઈ બાંધકામ નથી કરી રહી. તેઓ હાલ ફક્ત બેરિકેટસ હટાવવાનું કામ કરી રહી છે.

ભાજપના કાંદિવલી(ઈસ્ટ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરને સ્થાનિક નાગરિકો સાથે અઠવાડિયાના પ્રારંભમાં જ સ્કાયવોકના ચાલી રહેલા બાંધકામને રોકી દેવાની માગણી સાથે વિરોધ પ્રર્દશન કર્યા હતા. ભાતખલકરના કહેવા મુજબ રાજય સરકારે લેખિતમાં કોઈ આદેશ આપ્યો નથી. તેથી પાલિકાએ ઓર્ડર આવ્યો ન હોવાનુ કારણ આપીને ત્યાં કામ કરી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સ્થાનિક નાગરિકો અને દુકાનદારોએ મોટી સંખ્યામાં આ સ્કાયવોક સામે વિરોધ પ્રર્દશન કર્યા હતા. તેને પગલે રાજ્ય સરકારે કામ પર તાત્પૂરતો સ્ટે મૂકી દીધો હતો.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version