Site icon

મલાડના સ્કાયવોકને લઈને ભાજપે મુંબઈ મનપા પર કરી દીધો આટલો મોટો આરોપ.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

 મલાડ (પૂર્વ) પોદ્દાર રોડ પર 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારા સ્કાયવોક સામે સ્થાનિક નાગરિકો સહિત ભાજપે વિરોધ કર્યા હતો. નાગરિકોને વિરોધને પગલે રાજ્ય સરકારે સ્કાયવોકના કામ પર સ્ટે આપી દીધો હતો. છતાં ચાર મહિના બાદ પાલિકાએ આ પૂલનું કામ ફરી ચાલુ કરી દીધુ હોવાનો કથિત આરોપ સ્થાનિક નાગરિક સહિત ભાજપે કર્યો છે. 

પાલિકાના દાવા મુજબ રાજય સરકાર પાસેથી કામ રોકી દેવા માટેનો તેમને લેખિતમાં કોઈ આદેશ મળ્યો નથી.

જોકે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યુ હતુ કે પાલિકા કોઈ બાંધકામ નથી કરી રહી. તેઓ હાલ ફક્ત બેરિકેટસ હટાવવાનું કામ કરી રહી છે.

ભાજપના કાંદિવલી(ઈસ્ટ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરને સ્થાનિક નાગરિકો સાથે અઠવાડિયાના પ્રારંભમાં જ સ્કાયવોકના ચાલી રહેલા બાંધકામને રોકી દેવાની માગણી સાથે વિરોધ પ્રર્દશન કર્યા હતા. ભાતખલકરના કહેવા મુજબ રાજય સરકારે લેખિતમાં કોઈ આદેશ આપ્યો નથી. તેથી પાલિકાએ ઓર્ડર આવ્યો ન હોવાનુ કારણ આપીને ત્યાં કામ કરી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સ્થાનિક નાગરિકો અને દુકાનદારોએ મોટી સંખ્યામાં આ સ્કાયવોક સામે વિરોધ પ્રર્દશન કર્યા હતા. તેને પગલે રાજ્ય સરકારે કામ પર તાત્પૂરતો સ્ટે મૂકી દીધો હતો.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version