Site icon

મહાનગરપાલિકા એક્શન મોડમાં, તાડદેવ પરિસરની ગગનચુંબી ઇમારતમાં બનેલી ઘટનાની તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના, BMC કમિશનરને આટલા દિવસમાં રિપોર્ટ સોંપાશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર.

દેશની આર્થિક રાજધાની મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત ૨૦ માળની ઈમારતમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિનાશક આગને લીધે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું વાદળ છવાઇ ગયું હતું. બંબાવાળા તત્કાળ ઘટનાસ્થળે પહોંચી અનેક રહેવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે બિલ્ડિંગના 18મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. શનિવારે સવારે ભભૂકી ઉઠેલી વિનાશક આગમાં 7 જણ જીવતા ભુંજાઇ ગયા હતા અને 30 રહેવાસીઓ જખમી થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

હવે આ ઘટનાની તપાસ માટે ૪ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી તપાસની આગેવાની કરશે. જાે કે, BMC કમિશનરને ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે.  

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version