રસ્તા પરના ખાડા પૂરવાને લઈને ભાજપના આ નેતાએ સત્તાધારી પાર્ટી શિવસેનાને કહી દીધી આ વાત; આદિત્ય ઠાકરેએ તેને ફાલતુ વિષય ગણાવી દીધો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

સોમવાર

મુંબઈમાં ચોમાસું પૂરું થઈ ગયું છે, પણ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. હજી  પણ મોટા ભાગના રસ્તાઓ પર ખાડાઓ પડ્યા હોવાથી મુંબઈગરાને રોજની હાલાકી ભોગવી પડી રહી છે, ત્યારે એકાદું  પેગ્વિન ઓછું પાળો પણ રસ્તા પરના ખાડા પૂરીને મુંબઈગરાનો જીવ લેતા રોકો એવો કટાક્ષ કરતો પત્ર ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને લખ્યો છે.

મુંબઈમાં શિવસેના 30 વર્ષથી એકહથ્થુ શાસન કરે છે, પરંતુ મુંબઈગરાએ તેમના પર મૂકેલા વિશ્વાસની તેમને કોઈ કદર નથી. મુંબઈના રસ્તાના ખાડા પાછળ 22 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ રસ્તા ખાડા મુક્ત થયા નથી. મુંબઈગરાએ ભરેલા કરના પૈસા કૉન્ટ્રૅક્ટરોનાં ખિસ્સાંમાં ગયા છે. પાલિકા કમિશનર કોઈને મળતા નથી. શું પાલિકાના અધિકારીઓ પર પણ શિવસેના કૉન્ટ્રૅક્ટરોના માધ્યમથી દબાણ લાવી રહી છે એવા સવાલ નિતેશ રાણેએ મેયરને પત્ર લખીને કર્યો છે. 

ગુજરાતી વર્સિસ મરાઠી! મીરા રોડમાં ગુજરાતી મકાનમાલકણ સામે આ કારણથી નોંધાયો પોલીસમાં ગુનો; જાણો વિગત
નિતેશ રાણેએ પેંગ્વિન અને શિવસેના પર કરેલા ભ્રષ્ટાચારના આરોપ સામે શિવસેનાના યુવા નેતા અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ ફાલતુ વિષય પર બોલવાને બદલે અમે વિકાસ કાર્યો પર ધ્યાન આપીએ છીએ એવો જવાબ મીડિયાને આપ્યો હતો.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More