Site icon News Continuous Bureau | Mumbai

Kunal Kamra Controversy :હું માફી નહીં માંગુ, પણ… મુંબઈ પોલીસે કુણાલ કામરાને કર્યો ફોન, FIR પછી આ હતી તેની પ્રતિક્રિયા…

Kunal Kamra Controversy :કોમેડિયન કુણાલ કામરાએ પોલીસને જણાવ્યું છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કથિત મજાક કરવા બદલ "માફી માંગશે નહીં" પરંતુ કાયદાનું પાલન કરીશ.

Kunal Kamra Controversy Kunal Kamra tells Mumbai Police he doesn't regret his remarks

Kunal Kamra Controversy Kunal Kamra tells Mumbai Police he doesn't regret his remarks

News Continuous Bureau | Mumbai

Kunal Kamra Controversy :મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને કારણે રાજ્યમાં રાજકીય ગરમી વધી ગઈ છે. આ દરમિયાન, મુંબઈ પોલીસે કુણાલ કામરાનો સંપર્ક કર્યો. 

Join Our WhatsApp Channel

 મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અને કુણાલ કામરા વચ્ચે ફોન પર શરૂઆતી પૂછપરછ થઈ છે. જ્યારે પોલીસે સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલને પૂછ્યું કે શું તેને તેના નિવેદન બદલ કોઈ પસ્તાવો કે અફસોસ છે, ત્યારે કુણાલે કહ્યું કે તેણે આ નિવેદન સંપૂર્ણ સભાનતામાં આપ્યું છે અને તેને કોઈ પસ્તાવો કે અફસોસ નથી.

Kunal Kamra Controversy :હું માફી નહીં માંગું – કુણાલ કામરા 

કોઈના ટેકાથી નિવેદન આપવાના પ્રશ્નના જવાબમાં કુણાલે કહ્યું કે પોલીસ મારા બેંક ખાતાની તપાસ કરી શકે છે. હું સોપારી કેમ લઉં અને મેં મરાઠીમાં કોઈ શો પણ નથી કર્યો. મેં આ શો હિન્દીમાં કર્યો છે. મેં કોઈ સોપારી લીધી નથી. પોલીસે હાસ્ય કલાકારને પૂછ્યું, શું તમે તમારું નિવેદન પાછું લેવા માંગો છો કે માફી માંગવા માંગો છો? તો કુણાલે જવાબ આપ્યો કે હું માફી નહીં માંગું, પણ જો કોર્ટ મને માફી માંગવાનું કહેશે તો હું માફી માંગીશ.

Kunal Kamra Controversy :કામરા કેસમાં FIR દાખલ

અગાઉ, મુંબઈ પોલીસે કુણાલ કામરાના નિવેદનના મામલે બે FIR નોંધી હતી. એક એફઆઈઆર કોમેડિયન વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે અને બીજી સ્ટુડિયોમાં તોડફોડ માટે. મુંબઈ પોલીસે આજે મુંબઈની એક હોટલમાં તોડફોડ કરવાના આરોપમાં શિવસેનાના નેતા રાહુલ કનાલ અને અન્ય 11 લોકોની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Kunal Kamra row: કુણાલ કામરા કેસમાં BMC એક્શનમાં, ટીમ હથોડી લઈને હેબિટેટ સ્ટુડિયો પહોંચી.. જુઓ વિડીયો

Kunal Kamra Controversy : ઉદ્ધવ ઠાકરેએ કામરાનો બચાવ કર્યો

દરમિયાન આ મામલે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ કંઈ ખોટું કર્યું નથી. નાયબ મુખ્યમંત્રીને ‘દેશદ્રોહી’ કહેવા બદલ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા કામરાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ઠાકરેએ કહ્યું કે કામરા ફક્ત પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે હકીકતો જણાવી અને જાહેર અભિપ્રાય વ્યક્ત કર્યો.

મહત્વનું છે કે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત ‘હેબિટેટ સ્ટુડિયો’માં તોડફોડ કરવાના આરોપમાં પોલીસે શિવસેનાના લગભગ 40 કાર્યકરો સામે કેસ પણ નોંધ્યો છે. રવિવારે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી જ્યાં કામરાના શોનું શૂટિંગ થયું હતું. કાર્યક્રમમાં, કામરાએ “દેશદ્રોહી” શબ્દનો ઉપયોગ કરીને શિંદે પર કટાક્ષ કર્યો હતો.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version