273
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એલ.આઇ.સીના અધિકારવાળી ૮૨ સેસ ઈમારતોના જીર્ણોદ્ધારનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. મ્હાડાના યુનિટ મુંબઈ રીપેર બોર્ડે ઈમારતોના પુન: નિર્માણ માટે તત્કાળ પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો છે.
ગિરગાંવની આંગ્રેવાડી ચાલી, નવીન બદામવાડી, દેવકરણ નાનજી ચાલી અને દક્ષિણ મુંબઈમાં એલઆઇસીઓફ ઇન્ડિયાના અધિકારવાળી ૧૨૫ વર્ષ જૂની ચાલીઓ છે. આ ચાલીઓમાં ૧,૦૬૮ રેસિડેન્સી ફ્લેટ અને કુલ ૯૮૪ નોન રેસિડેન્સીયલ ફ્લેટ મળીને ૨,૦૫૨ ફ્લેટ છે. જેમાંથી લગભગ ૮૨ જૂની ઇમારતો છે.
આ બધી ઇમારતોના જીર્ણોદ્ધાર વિકાસ નિયંત્રણ નિયમાવલીના અધિનિયમ ૩૩(૭) અને ૩૩(૯) હેઠળ મ્હાડાના રીપેર બોર્ડના માધ્યમથી થશે.
You Might Be Interested In