હવે મુંબઈ શહેરમાં આ પ્રાઇવેટ 29 હોસ્પિટલો પણ કોરોનાની વેક્સિન આપશે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 માર્ચ 2021

ત્રીજા ચરણના વેક્સિનેશન પ્રોગ્રામ ને ઝડપી બનાવવા માટે, કેન્દ્ર સરકારે મુંબઈ શહેરના 29 પ્રાઇવેટ હોસ્પિટલોને 60 વર્ષથી વધુના લોકો તેમજ ૪૫ વર્ષથી વધુના લોકો જેમને શારીરિક તકલીફ હોય તેમને વેક્સિન આપવા માટેની પરવાનગી આપી છે.

 

આ હોસ્પિટલોમાંથી પ્રમુખ હોસ્પિટલ છે હિન્દુજા, લીલાવતી, જસલોક, કોકીલાબેન હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, એસ એલ રહેજા હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, નાણાવટી હોસ્પિટલ તેમજ સેઇફી હોસ્પિટલ. 

આ ઉપરાંત કેન્દ્ર સરકારે મહાત્મા જ્યોતિબા ફુલે, જન આરોગ્ય યોજના તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ હેઠળ આવનાર હોસ્પિટલોને પણ વેક્સિન કાર્યક્રમમાં જોડાવા કહ્યું છે.

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે પ્રાઇવેટ હોસ્પિટલોને 200થી વધુ અતિરિક્ત બેડ લગાવવાની પરવાનગી આપવામાં આવે.જેથી વેક્સિનેશન આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય રીતે હોસ્પિટલમાં ભરતી થયેલા લોકોને કોઇ પ્રકારની તકલીફ ન પડે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More