Site icon News Continuous Bureau | Mumbai

ખતરાની ઘંટી! લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી ગઈ.. ટ્રેનોમાં કીડિયારું જમા થવા માંડ્યું. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી નિયંત્રણમા આવવાની સાથે જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. તેની સૌથી મોટી અસર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પર પહોંચી છે. પ્રતિદિન લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા 60 લાખને પાર કરી ગઈ છે. તેથી આગામી દિવસમાં ફરી કોરોના ફેલાવાનું જોખમ વધી જાય એવી ચિંતા સતાવી રહી છે.

Join Our WhatsApp Channel

કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે લોકલ ટ્રેનમાં જે રીતે ભીડ ઉમટી રહી છે, તેને કારણે ચિંતા વધી ગઈ છે. કોરોના મહામારી પહેલા જોકે લોકલ ટ્રેનમાં રોજના 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. કોરોનાને પગલે આવેલા નિયંત્રણને પગલે આ સંખ્યા ઘટી ગઈ છે. કોવિડના બંને ડોઝ લેનારાને જ લોકલમાં પ્રવાસની છૂટ છે. મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. તેથી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હાશ, ભરઉનાળે મુંબઈગરા પરથી 15 ટકા પાણી કાપ થયો દૂર.. જાણો વિગતે

મળેલ આંકડા મુજબ ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ રેલવેમાં સરેરાશ 30.84 લાખ પ્રવાસીઓ હતા. આ આંકડો 16 માર્ચ સુધીમાં 35.89 લાખ પર પહોંચી ગયો છે. વેસ્ટર્ન રેલવેમાં આ સંખ્યા 24.78 લાખ પ્રતિદિન હતી, તે હવે 16 માર્ચ સુધીમાં 27.14 પર પહોંચી ગઈ છે.

માર્ચ 2020માં એટલે કે કોરોના મહામારી બાદ સરકારે લગાવેલા પ્રતિબંધોને પગલે મુંબઈની લોકલમાં પ્રવાસ કરનારા દૈનિક પ્રવાસીઓની સંખ્યા 10-15 લાખથી ઘટી ગઈ છે. જોકે ધીમે ધીમે આ સંખ્યામાં થઈ રહેલા વધારો આગામી દિવસમાં ફરી ચિંતા ઉપજાવે એમ છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version